Categories: Uncategorized

તળપદા કોળી સમાજ દ્વારા દાંડીયારાસ, સ્નેહમિલન અને સિનિયર સમાજ સેવકોના સન્માનનો ભવ્ય ‘ત્રિવિધ’ કાર્યક્રમ યોજાયા

તળપદા કોળી સમાજ દ્વારા દાંડીયારાસ, સ્નેહમિલન અને સિનિયર સમાજ સેવકોના સન્માનનો ભવ્ય ‘ત્રિવિધ’ કાર્યક્રમ યોજાયા

સુરેન્દ્રનગર: સમસ્ત તળપદા કોળી સમાજ સુરેન્દ્રનગર મહાનગર દ્વારા પંડિત દિન દયાળ હોલ ખાતે એક સફળ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દાંડીયારાસ, સ્નેહમિલન અને સમાજના સિનિયર સમાજ સેવકોનો સન્માન સમારોહ યોજાઈ ગયો.

આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી રામ રણુજા આશ્રમ કોઠારીયાના લાભુગીરી અને આર્યન ભગત (સાળંગપુર)ના હસ્તે એક નવતર વિચારની અમલવારી કરવામાં આવી હતી. સમાજ જાગૃતિ, સંગઠન, અને એકતા-અખંડિતતા જાળવી રાખવા જેવા અઢળક કાર્યો કરનાર સમસ્ત તળપદા કોળી સમાજ સુરેન્દ્રનગર મહાનગરના સિનિયર સમાજસેવકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ વિશેષ હાજરી આપી સન્માનિત સમાજસેવકોને શુભેચ્છાઓ પાઠવી અને આયોજકોને બિરદાવ્યા હતા. આ ઉપરાંત, માનનીય સાંસદ ચંદુભાઈ શિહોરા પણ હાજર રહ્યા હતા.

સ્નેહમિલન સમારોહમાં સમાજના રાજકીય અને સામાજિક આગેવાનોની હાજરીમાં સમાજ જાગૃતિના કાર્યો માટેના લક્ષ્યાંકો પ્રાપ્ત કરવાના સંકલ્પો લેવામાં આવ્યા હતા. સમાજ સેવકોના સન્માનની સાથે સાથે દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું, અને દાંડીયા રાસમાં વિવિધ સ્પર્ધામાં વિજેતા બહેનોને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં પ્રદીપભાઈ વસ્તાણીની આગવી કાર્યશૈલી, માઇક્રો પ્લાનિંગ સાથેનું મેનેજમેન્ટ, તેમજ અક્ષયભાઈ ધાડવી, અશોકભાઈ ઝાલા, અને રમેશભાઈ મેણીયા સહિત આયોજક ટીમના તમામ સભ્યોઓનો સાથ-સહકાર રહ્યો હતો. આમ ત્રિવિધ કાર્યક્રમ થકી તળપદા કોળી સમાજમાં ઉત્સાહ, સંગઠન અને સમાજસેવાની ભાવનાને વધુ મજબૂત જોવા મળી છે.

jeet

Recent Posts

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…

1 week ago

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

​ ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી ​ સરકારી શાળામાં…

2 weeks ago

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…

2 weeks ago

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…

2 weeks ago

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…

2 weeks ago

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…

2 weeks ago