તળપદા કોળી સમાજ દ્વારા દાંડીયારાસ, સ્નેહમિલન અને સિનિયર સમાજ સેવકોના સન્માનનો ભવ્ય ‘ત્રિવિધ’ કાર્યક્રમ યોજાયા
સુરેન્દ્રનગર: સમસ્ત તળપદા કોળી સમાજ સુરેન્દ્રનગર મહાનગર દ્વારા પંડિત દિન દયાળ હોલ ખાતે એક સફળ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દાંડીયારાસ, સ્નેહમિલન અને સમાજના સિનિયર સમાજ સેવકોનો સન્માન સમારોહ યોજાઈ ગયો.
આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી રામ રણુજા આશ્રમ કોઠારીયાના લાભુગીરી અને આર્યન ભગત (સાળંગપુર)ના હસ્તે એક નવતર વિચારની અમલવારી કરવામાં આવી હતી. સમાજ જાગૃતિ, સંગઠન, અને એકતા-અખંડિતતા જાળવી રાખવા જેવા અઢળક કાર્યો કરનાર સમસ્ત તળપદા કોળી સમાજ સુરેન્દ્રનગર મહાનગરના સિનિયર સમાજસેવકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ વિશેષ હાજરી આપી સન્માનિત સમાજસેવકોને શુભેચ્છાઓ પાઠવી અને આયોજકોને બિરદાવ્યા હતા. આ ઉપરાંત, માનનીય સાંસદ ચંદુભાઈ શિહોરા પણ હાજર રહ્યા હતા.
સ્નેહમિલન સમારોહમાં સમાજના રાજકીય અને સામાજિક આગેવાનોની હાજરીમાં સમાજ જાગૃતિના કાર્યો માટેના લક્ષ્યાંકો પ્રાપ્ત કરવાના સંકલ્પો લેવામાં આવ્યા હતા. સમાજ સેવકોના સન્માનની સાથે સાથે દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું, અને દાંડીયા રાસમાં વિવિધ સ્પર્ધામાં વિજેતા બહેનોને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં પ્રદીપભાઈ વસ્તાણીની આગવી કાર્યશૈલી, માઇક્રો પ્લાનિંગ સાથેનું મેનેજમેન્ટ, તેમજ અક્ષયભાઈ ધાડવી, અશોકભાઈ ઝાલા, અને રમેશભાઈ મેણીયા સહિત આયોજક ટીમના તમામ સભ્યોઓનો સાથ-સહકાર રહ્યો હતો. આમ ત્રિવિધ કાર્યક્રમ થકી તળપદા કોળી સમાજમાં ઉત્સાહ, સંગઠન અને સમાજસેવાની ભાવનાને વધુ મજબૂત જોવા મળી છે.
ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના હસ્તે રિબન કાપી કાર્યાલય ખુલ્લું મુકાયું ભાજપના ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા…
સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Body Elections) પૂર્વે…
સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ચોટીલા તાલુકાના ગુંદા ગામની સીમમાં આવેલી પવનચક્કીમાં થયેલી મોટી ચોરીનો ભેદ પોલીસે…
સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) ફરજ પરના તબીબો અને સ્ટાફ સાથે ગેરવર્તનની ઘટનાઓમાં ચિંતાજનક વધારો…
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ ના રોજ યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની સામાન્ય…
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સત્તાવાર મતદાન પૂર્વે જ રાજકીય માહોલ સંપૂર્ણપણે કેસરીયો બની ગયો…