મૂળી થાન વિસ્તારોના ગામડાઓમાં ખેડૂતો વચ્ચે પહોંચ્યા નેતાઓ..
સુરેન્દ્રનગરના થાનમાં ખેડૂતોના દેવા માફીની માંગ સાથે કૉંગ્રેસની બાઇક રેલી પણ યોજવામાં આવી..
સમગ્ર ગુજરાત રાજ્યમાં માવઠાના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે અને માવઠાના પગલે સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યના ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે કારણ કે ખેડૂતોને જે સમયે પાકનું ઉત્પાદન આવવાનું હતું તે સમયે જ માવઠું થયું છે અને વરસાદ થયો છે જેને લઇને હાલની પરિસ્થિતિમાં કપાસ મગફળી જેવા પાકનો સોથ વળી ગયો છે સરકાર દ્વારા 10000 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે પરંતુ તેનાથી ખેડૂતો પણ અસંતોષ અનુભવી રહ્યા છે અને વિરોધ પક્ષ પણ સરકારનો ઘેરાવ કરી રહી છે.
આ સંદર્ભે કોંગ્રેસ દ્વારા સોમનાથ થી લઇ દ્વારકા સુધી આક્રોશ યાત્રાનું આયોજન કર્યું છે ત્યારે સુરેન્દ્રનગર ખાતે આ આક્રોશ યાત્રા આવી પહોંચી છે જેમાં અમી યાજ્ઞિક ઋત્વિક મકવાણા લાલજી દેસાઈ નવસાદ સોલંકી જીગ્નેશ મેવાણી સહિતના કોંગ્રેસના નેતાઓ આક્રોશ યાત્રામાં જોડાયા છે ખેડૂતોની વચ્ચે જઈ અને તેમના પ્રશ્નો પણ સાંભળવામાં આવ્યા છે ખાસ કરીને ખેડૂતોને દેવા માફ કરવામાં આવે અને વિદેશથી આયાત થતા કપાસ ઉપર રોક લગાવવામાં આવે અને સમયસર બિયારણ ખાતર અને નર્મદાનું પાણી આપવાની માંગ સાથે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે..
મૂકી થી થાન જ્યારે આ રેલી પહોંચી હતી તે દરમિયાન ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને થાનમાં પ્રવેશ મેળવ્યા બાદ બાઈક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ખેડૂતો આ બાઈક રેલીમાં જોડાયા હતા 50થી વધુ ટ્રેક્ટર ઓ પણ આ યાત્રામાં જોડાયા છે ત્યારે સોમનાથ થી લઈ દ્વારકા સુધી આ યાત્રા જઈ રહી છે ત્યારે રસ્તામાં ખેતી કામ કરતા ખેડૂતોની મુલાકાતે પણ કોંગ્રેસના નેતાઓ જઈ રહ્યા છે.
આગામી દિવસોમાં સરકાર દ્વારા નિર્ણય કરી ખેડૂતોના દેવા માફ કરવામાં આવે તેવી માંગણી કોંગ્રેસના નેતાઓએ પણ કરી છે અને આ માંગણી નહીં સ્વીકારવામાં આવે તો યાત્રાનો પાઠ બે પણ શરૂ કરવામાં આવશે તેવી ચીમકી કોંગ્રેસના નેતાઓએ ઉચ્ચારી છે હાલની પરિસ્થિતિમાં થાન થી લઇ વાંકાનેર આ યાત્રા પહોંચી જશે ત્યારબાદ દ્વારકા તરફ આ યાત્રા આગળ વધવાની છે અલગ અલગ દિવસે કોંગ્રેસના અલગ અલગ નેતાઓ પણ આ યાત્રામાં જોડાવાના છે
ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના હસ્તે રિબન કાપી કાર્યાલય ખુલ્લું મુકાયું ભાજપના ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા…
સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Body Elections) પૂર્વે…
સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ચોટીલા તાલુકાના ગુંદા ગામની સીમમાં આવેલી પવનચક્કીમાં થયેલી મોટી ચોરીનો ભેદ પોલીસે…
સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) ફરજ પરના તબીબો અને સ્ટાફ સાથે ગેરવર્તનની ઘટનાઓમાં ચિંતાજનક વધારો…
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ ના રોજ યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની સામાન્ય…
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સત્તાવાર મતદાન પૂર્વે જ રાજકીય માહોલ સંપૂર્ણપણે કેસરીયો બની ગયો…