Categories: Surendranagar

ખેડૂતોના દેવા માફીની માંગ સાથે કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રા સુરેન્દ્રનગર પહોંચી

મૂળી થાન વિસ્તારોના ગામડાઓમાં ખેડૂતો વચ્ચે પહોંચ્યા નેતાઓ..

સુરેન્દ્રનગરના થાનમાં ખેડૂતોના દેવા માફીની માંગ સાથે કૉંગ્રેસની બાઇક રેલી પણ યોજવામાં આવી..

સમગ્ર ગુજરાત રાજ્યમાં માવઠાના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે અને માવઠાના પગલે સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યના ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે કારણ કે ખેડૂતોને જે સમયે પાકનું ઉત્પાદન આવવાનું હતું તે સમયે જ માવઠું થયું છે અને વરસાદ થયો છે જેને લઇને હાલની પરિસ્થિતિમાં કપાસ મગફળી જેવા પાકનો સોથ વળી ગયો છે સરકાર દ્વારા 10000 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે પરંતુ તેનાથી ખેડૂતો પણ અસંતોષ અનુભવી રહ્યા છે અને વિરોધ પક્ષ પણ સરકારનો ઘેરાવ કરી રહી છે.

આ સંદર્ભે કોંગ્રેસ દ્વારા સોમનાથ થી લઇ દ્વારકા સુધી આક્રોશ યાત્રાનું આયોજન કર્યું છે ત્યારે સુરેન્દ્રનગર ખાતે આ આક્રોશ યાત્રા આવી પહોંચી છે જેમાં અમી યાજ્ઞિક ઋત્વિક મકવાણા લાલજી દેસાઈ નવસાદ સોલંકી જીગ્નેશ મેવાણી સહિતના કોંગ્રેસના નેતાઓ આક્રોશ યાત્રામાં જોડાયા છે ખેડૂતોની વચ્ચે જઈ અને તેમના પ્રશ્નો પણ સાંભળવામાં આવ્યા છે ખાસ કરીને ખેડૂતોને દેવા માફ કરવામાં આવે અને વિદેશથી આયાત થતા કપાસ ઉપર રોક લગાવવામાં આવે અને સમયસર બિયારણ ખાતર અને નર્મદાનું પાણી આપવાની માંગ સાથે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે..

મૂકી થી થાન જ્યારે આ રેલી પહોંચી હતી તે દરમિયાન ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને થાનમાં પ્રવેશ મેળવ્યા બાદ બાઈક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ખેડૂતો આ બાઈક રેલીમાં જોડાયા હતા 50થી વધુ ટ્રેક્ટર ઓ પણ આ યાત્રામાં જોડાયા છે ત્યારે સોમનાથ થી લઈ દ્વારકા સુધી આ યાત્રા જઈ રહી છે ત્યારે રસ્તામાં ખેતી કામ કરતા ખેડૂતોની મુલાકાતે પણ કોંગ્રેસના નેતાઓ જઈ રહ્યા છે.

આગામી દિવસોમાં સરકાર દ્વારા નિર્ણય કરી ખેડૂતોના દેવા માફ કરવામાં આવે તેવી માંગણી કોંગ્રેસના નેતાઓએ પણ કરી છે અને આ માંગણી નહીં સ્વીકારવામાં આવે તો યાત્રાનો પાઠ બે પણ શરૂ કરવામાં આવશે તેવી ચીમકી કોંગ્રેસના નેતાઓએ ઉચ્ચારી છે હાલની પરિસ્થિતિમાં થાન થી લઇ વાંકાનેર આ યાત્રા પહોંચી જશે ત્યારબાદ દ્વારકા તરફ આ યાત્રા આગળ વધવાની છે અલગ અલગ દિવસે કોંગ્રેસના અલગ અલગ નેતાઓ પણ આ યાત્રામાં જોડાવાના છે

jeet

Recent Posts

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી

લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…

2 weeks ago

ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા

ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…

2 weeks ago

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…

2 weeks ago

ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર

ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…

2 weeks ago

સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…

2 weeks ago

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ

સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…

2 weeks ago