સુરેન્દ્રનગર એસ.ટી વિભાગની દિવાળી પર્વને લઈ તિજોરી છલકાણી..
80 જેટલી એકસ્ટ્રા ટ્રીપ દોડાવવામાં આવી..
સુરેન્દ્રનગર એસ.ટી ડેપોને 8 લાખ થી વધુની આવક થઈ..
દિવાળીના પર્વને લઈ પેસેન્જર નો એસટી બસ સ્ટેન્ડ હોય અથવા તો રેલવે સ્ટેશન અને ટ્રાન્સપોર્ટ કરતી ખાનગી કંપનીઓ ની બસોના સંચાલન પર ઘસારો રહેતો હોય છે. ત્યારે દિવાળીના પર્વને લઈ અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કારખાનાઓ તેમજ ખાનગી મોટી કંપનીઓ ફેક્ટરીઓમાં ફરજ બજાવતા મજૂરો પોતાના દેશ તરફ અને વતન તરફ પરત ફરતા હોય છે.
ત્યારે સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેન્ડમાં પાંચ દિવસ સુધી મુસાફરોનો ઘસારો રહેતો હોય છે આ સંદર્ભે મુસાફરોને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે અને ટ્રાન્સપોર્ટની સુવિધા સરળ બને તે પ્રકારના પ્રયાસો સુરેન્દ્રનગર એસટી વિભાગના તંત્ર દ્વારા કરવામાં આવ્યા હતા.
અને દિવાળીના પર્વને લઈ સુરેન્દ્રનગર એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો નું સંચાલન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ અમદાવાદ ધંધુકા લીંબડી સુધી એસટી બસો દોડાવવામાં આવી હતી 80 જેટલી એક્સ્ટ્રા બસો નું સંચાલન કરી અને સુરેન્દ્રનગર એસટી ડેપોને 08 લાખથી વધુની આવક થઈ છે..
પાંચ દિવસ સુધી એક્સ્ટ્રા બસો નું સંચાલન કરવામાં આવ્યું હતું એસટી વિભાગના સ્ટાફમાં 160 થી વધુ કંડકટર ડ્રાઇવર પણ પોતાની ફરજ ઉપર એક્સ્ટ્રા બસો નું સંચાલન કરી અને લોકો સરળતાથી યાત્રા કરી શકે તે પ્રકારના પ્રયાસો કરવામાં આવ્યા હતા જેનું પરિણામ મુસાફરોને પણ ફાયદો થયો છે અને એસટી વિભાગની તિજોરી પણ છલકાઈ છે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…