સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા જોરાવરનગર કોમ્યુનિટી હોલ ખાતે બીજા તબક્કાનો ‘સેવાસેતુ’ કાર્યક્રમ યોજાયો હતો. નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં નાગરિકોને સરકારી યોજનાઓના લાભ સ્થળ પર જ પૂરા પાડવામાં આવ્યા હતા.
ધારાસભ્યએ આ પ્રસંગે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, જોરાવરનગર કોમ્યુનિટી હોલ સહિત શહેરના 5 હોલનું રૂ. 50 લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે.
મ્યુનિસિપલ કમિશનર ડો. નવનાથ ગવ્હાણેએ શહેરના વિકાસ કામોની વિગતો આપતા જણાવ્યું કે, વઢવાણના વિકાસ માટે રૂ. 53 કરોડનો ખર્ચ કરાશે, જેમાં ગેબનશાપીર સુધીના નવા રિવરફ્રન્ટ અને આઈકોનિક રોડનો સમાવેશ થાય છે.
કાર્યક્રમ દરમિયાન પીએમ સ્વનિધિ યોજનાના ચેક અને પીએમ આવાસ યોજનાના પ્રશસ્તિ પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે સુરેન્દ્રનગરમાં અત્યાર સુધીમાં 2500 થી વધુ ફેરિયાઓએ સ્વનિધિ યોજનાનો લાભ લીધો છે.
ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…
સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…
સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…