સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા જોરાવરનગર કોમ્યુનિટી હોલ ખાતે બીજા તબક્કાનો ‘સેવાસેતુ’ કાર્યક્રમ યોજાયો હતો. નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં નાગરિકોને સરકારી યોજનાઓના લાભ સ્થળ પર જ પૂરા પાડવામાં આવ્યા હતા.
ધારાસભ્યએ આ પ્રસંગે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, જોરાવરનગર કોમ્યુનિટી હોલ સહિત શહેરના 5 હોલનું રૂ. 50 લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે.
મ્યુનિસિપલ કમિશનર ડો. નવનાથ ગવ્હાણેએ શહેરના વિકાસ કામોની વિગતો આપતા જણાવ્યું કે, વઢવાણના વિકાસ માટે રૂ. 53 કરોડનો ખર્ચ કરાશે, જેમાં ગેબનશાપીર સુધીના નવા રિવરફ્રન્ટ અને આઈકોનિક રોડનો સમાવેશ થાય છે.
કાર્યક્રમ દરમિયાન પીએમ સ્વનિધિ યોજનાના ચેક અને પીએમ આવાસ યોજનાના પ્રશસ્તિ પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે સુરેન્દ્રનગરમાં અત્યાર સુધીમાં 2500 થી વધુ ફેરિયાઓએ સ્વનિધિ યોજનાનો લાભ લીધો છે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…