સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા જોરાવરનગર કોમ્યુનિટી હોલ ખાતે બીજા તબક્કાનો ‘સેવાસેતુ’ કાર્યક્રમ યોજાયો હતો. નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં નાગરિકોને સરકારી યોજનાઓના લાભ સ્થળ પર જ પૂરા પાડવામાં આવ્યા હતા.
ધારાસભ્યએ આ પ્રસંગે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, જોરાવરનગર કોમ્યુનિટી હોલ સહિત શહેરના 5 હોલનું રૂ. 50 લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે.
મ્યુનિસિપલ કમિશનર ડો. નવનાથ ગવ્હાણેએ શહેરના વિકાસ કામોની વિગતો આપતા જણાવ્યું કે, વઢવાણના વિકાસ માટે રૂ. 53 કરોડનો ખર્ચ કરાશે, જેમાં ગેબનશાપીર સુધીના નવા રિવરફ્રન્ટ અને આઈકોનિક રોડનો સમાવેશ થાય છે.
કાર્યક્રમ દરમિયાન પીએમ સ્વનિધિ યોજનાના ચેક અને પીએમ આવાસ યોજનાના પ્રશસ્તિ પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે સુરેન્દ્રનગરમાં અત્યાર સુધીમાં 2500 થી વધુ ફેરિયાઓએ સ્વનિધિ યોજનાનો લાભ લીધો છે.
આગામી જન્માષ્ટમીના તહેવારો દરમિયાન સામાન્ય લોકોને શુદ્ધ, સાત્વિક અને ગુણવતા યુક્ત મીઠાઈ તથા ફરસાણ વ્યાજબી…
Wadhwan Water Pipeline | સુરેન્દ્રનગરમાં ધોળીધજા ડેમ 16 ફૂટ ભરેલો હોવા છતાં સ્થાનિક રહીશોને 3…
Bhavanigarh Liquor Raid | મુળી તાલુકાના ભવાનીગઢ ગામની સીમમાં ચાલતી ગેરકાયદે દેશી દારૂની ભઠ્ઠી પર રાજકોટ…
Nag Panchami | નાગપંચમીના પાવન પર્વ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લાભરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.…
Dudhrej Canal | સુરેન્દ્રનગર શહેરમાં દુધરેજ નજીક પસાર થતી નર્મદા કેનાલના રેલવે નાળા નજીકથી એક…
Poshan Utsav Wadhwan | સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ઘટક-2 ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા…