સુરેન્દ્રનગર અને ખમીસાણાને જોડતો નર્મદા કેનાલ પરનો પુલ છેલ્લા 1 વર્ષથી બંધ હાલતમાં હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. વડોદરા પુલ દુર્ઘટના બાદ સલામતીના ભાગરૂપે આ પુલને જર્જરિત જાહેર કરી બંધ કરવામાં આવ્યો હતો.
જોકે, લાંબો સમય વીતવા છતાં નવીનીકરણ કે સમારકામ શરૂ ન થતા આસપાસના 5 ગામના લોકોની ધીરજ ખૂટી છે. સ્થાનિકોએ આખરે કંટાળીને પુલની બંને તરફ માટીના પાળા હટાવી રસ્તો જાતે જ ખુલ્લો કરી નાખ્યો છે.
આ પુલની હાલત અત્યંત ગંભીર છે; નીચેના ભાગેથી પોપડા પડી રહ્યા છે અને સળિયા દેખાઈ રહ્યા છે. તંત્રએ માત્ર પુલ બંધ કરીને પોતાની જવાબદારી પૂર્ણ માની લીધી હતી, પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા કે રિપેરિંગના અભાવે વાહનચાલકો હવે જીવના જોખમે અહીંથી પસાર થવા મજબૂર બન્યા છે.
દુધરેજ નર્મદા કેનાલ પરના અન્ય પુલોનું સમારકામ થઈ ગયું હોવા છતાં ખમીસાણા પુલ પ્રત્યે ઓરમાયું વર્તન રાખવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ છે. જો ભવિષ્યમાં અહીં કોઈ મોટી જાનહાનિ સર્જાશે, તો તેનો જવાબદાર કોણ? તે એક મોટો પ્રશ્ન છે. સ્થાનિકોની માંગ છે કે આ જર્જરિત પુલનું વહેલી તકે નવીનીકરણ કરવામાં આવે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…