સુરેન્દ્રનગર અને ખમીસાણાને જોડતો નર્મદા કેનાલ પરનો પુલ છેલ્લા 1 વર્ષથી બંધ હાલતમાં હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. વડોદરા પુલ દુર્ઘટના બાદ સલામતીના ભાગરૂપે આ પુલને જર્જરિત જાહેર કરી બંધ કરવામાં આવ્યો હતો.
જોકે, લાંબો સમય વીતવા છતાં નવીનીકરણ કે સમારકામ શરૂ ન થતા આસપાસના 5 ગામના લોકોની ધીરજ ખૂટી છે. સ્થાનિકોએ આખરે કંટાળીને પુલની બંને તરફ માટીના પાળા હટાવી રસ્તો જાતે જ ખુલ્લો કરી નાખ્યો છે.
આ પુલની હાલત અત્યંત ગંભીર છે; નીચેના ભાગેથી પોપડા પડી રહ્યા છે અને સળિયા દેખાઈ રહ્યા છે. તંત્રએ માત્ર પુલ બંધ કરીને પોતાની જવાબદારી પૂર્ણ માની લીધી હતી, પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા કે રિપેરિંગના અભાવે વાહનચાલકો હવે જીવના જોખમે અહીંથી પસાર થવા મજબૂર બન્યા છે.
દુધરેજ નર્મદા કેનાલ પરના અન્ય પુલોનું સમારકામ થઈ ગયું હોવા છતાં ખમીસાણા પુલ પ્રત્યે ઓરમાયું વર્તન રાખવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ છે. જો ભવિષ્યમાં અહીં કોઈ મોટી જાનહાનિ સર્જાશે, તો તેનો જવાબદાર કોણ? તે એક મોટો પ્રશ્ન છે. સ્થાનિકોની માંગ છે કે આ જર્જરિત પુલનું વહેલી તકે નવીનીકરણ કરવામાં આવે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…