સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારમાં નજીવી બાબતે એક યુવક પર હુમલો થવાની ઘટના સામે આવી છે. રતનપરમાં રહેતા સમીરભાઈ ઇસુબભાઈ જેડા જ્યારે પોતાના ઘર પાસે આવેલી મસ્જિદમાં નમાઝ પઢીને બહાર નીકળ્યા, ત્યારે સોયબભાઈ નામનો શખ્સ ગાળો બોલી રહ્યો હતો. સમીરભાઈએ તેને ગાળો બોલવાની મનાઈ કરતા મામલો બિચક્યો હતો.
આ સામાન્ય બોલાચાલી બાદ રમજાનભાઈ રફીકભાઈ, રફીકભાઈ અબ્દુલભાઈ, મુમતાજબેન અને રુકશાનાબેન સહિતના વ્યક્તિઓએ એકસંપ થઈ સમીરભાઈ પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ યુવકને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
આ ઘટના અંગે ભોગ બનનાર સમીરભાઈએ બે મહિલાઓ સહિત કુલ 4 શખ્સો વિરુદ્ધ જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…