સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારમાં નજીવી બાબતે એક યુવક પર હુમલો થવાની ઘટના સામે આવી છે. રતનપરમાં રહેતા સમીરભાઈ ઇસુબભાઈ જેડા જ્યારે પોતાના ઘર પાસે આવેલી મસ્જિદમાં નમાઝ પઢીને બહાર નીકળ્યા, ત્યારે સોયબભાઈ નામનો શખ્સ ગાળો બોલી રહ્યો હતો. સમીરભાઈએ તેને ગાળો બોલવાની મનાઈ કરતા મામલો બિચક્યો હતો.
આ સામાન્ય બોલાચાલી બાદ રમજાનભાઈ રફીકભાઈ, રફીકભાઈ અબ્દુલભાઈ, મુમતાજબેન અને રુકશાનાબેન સહિતના વ્યક્તિઓએ એકસંપ થઈ સમીરભાઈ પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ યુવકને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
આ ઘટના અંગે ભોગ બનનાર સમીરભાઈએ બે મહિલાઓ સહિત કુલ 4 શખ્સો વિરુદ્ધ જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે.
ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…
સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…
સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…