મિડલ ઇસ્ટ દેશો વચ્ચે ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિના કારણે હાલમાં પેટ્રોલ અને ડીઝલની મોટી અછત સર્જાઇ રહી છે. ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ન મળવાના કારણે ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે.
તંત્ર અને સરકાર દ્વારા પેટ્રોલ પંપો પર પૂરતા પ્રમાણમાં સ્ટોકની ફાળવણી કરવામાં ન આવતા પુરવઠો ખૂટી ગયો છે. હાલમાં જિલ્લાના 70% જેટલા પેટ્રોલ પંપો સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે. જેના કારણે ખેતી, ટ્રાન્સપોર્ટ અને ઔદ્યોગિક એકમો પર તેની સૌથી માઠી અસર જોવા મળી રહી છે.
સુરેન્દ્રનગરના શહેરી વિસ્તારોમાં આવેલા પેટ્રોલ પંપો પર ઇંધણનો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. પેટ્રોલ પુરાવવા માટે ચાલકોને 2 કલાક સુધી વેઇટિંગમાં ઊભા રહેવું પડે છે. જ્યારે ડીઝલ માટે હાઇવે અને મુખ્ય રસ્તાઓ પર મોટા વાહનોની 5 કિલોમીટર લાંબી લાઈનો લાગી છે.
ડીઝલ આધારિત ચાલતા ધંધા-રોજગાર અને વાહનો અટકી પડતા આર્થિક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.જેને પગલે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે પુરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.
ડીઝલની તંગીના કારણે સુરેન્દ્રનગર અને વઢવાણ GIDC વિસ્તારમાં આવેલી ભઠ્ઠીઓ તથા કારખાનાઓ બંધ થવાની અણી પર છે. પેટ્રોલ પંપ ધારકોને હાલમાં રોજનું માત્ર 22,000 લીટર ડીઝલ ફાળવવામાં આવી રહ્યું છે. જે જરૂરિયાત સામે ખૂબ જ ઓછું છે.
આ મર્યાદિત જથ્થાને કારણે કોને ડીઝલ આપવું અને કોને ન આપવું તે બાબતે પંપ સંચાલકો અને વાહનચાલકો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે.
આ કટોકટી વચ્ચે સ્થાનિક વાહનચાલક ભાનુભાઈ ચૌહાણે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, તેઓ પોતાના એક્ટિવા વાહનમાં પેટ્રોલ પુરાવવા માટે શહેરના 4 થી વધુ પેટ્રોલ પંપ પર ગયા હતા. પરંતુ તમામ જગ્યાએ નો-સ્ટોકના બોર્ડ જોવા મળ્યા હતા.
જ્યાં સ્ટોક ઉપલબ્ધ છે ત્યાં ભારે અરાજકતા અને લાંબી લાઈનો છે. લાઈનમાં ઊભા રહ્યા બાદ પણ વારો આવે ત્યાં સુધીમાં પેટ્રોલ ખૂટી જાય તેવી સ્થિતિ હોવાથી, આખરે કંટાળીને તેમણે પોતાનું વાહન ઘરમાં જ ઢાંકીને મૂકી દેવાનો નિર્ણય કર્યો છે.
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…