Surendranagar

જોરાવરનગરમાં પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ, ટ્રાફિક નિયમોનો ભંગ કરતા 117 વાહન ચાલકો દંડાયા

સુરેન્દ્રનગર જિલ્લામાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા અને ગુનાખોરી પર અંકુશ મેળવવા માટે પોલીસ દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક (SP) પ્રેમસુખ ડેલુ અને ડિવિઝનના ASP વૈદિકા બિહાનીના માર્ગદર્શન હેઠળ જોરાવરનગર પોલીસ સ્ટેશનના ASP કરણકુમાર પન્ના અને તેમની ટીમ દ્વારા શહેરમાં 3 દિવસીય સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ખાસ ઝુંબેશ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકો સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવ્યા છે. આ 3 દિવસની કડક ચેકિંગ ઝુંબેશ દરમિયાન કુલ 117 વાહનચાલકો ટ્રાફિક નિયમોનો ભંગ કરતા ઝડપાયા હતા. જેમની પાસેથી પોલીસે કુલ 35,700 રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે.

આ ઉપરાંત, શંકાસ્પદ અને નિયમભંગ કરનારા 11 વાહનોને કાયદેસરની કાર્યવાહી હેઠળ ડિટેઇન કરવામાં આવ્યા છે. પોલીસની આ આકસ્મિક કાર્યવાહીથી નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

User 3

Recent Posts

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી

લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…

2 weeks ago

ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા

ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…

2 weeks ago

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…

2 weeks ago

ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર

ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…

2 weeks ago

સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…

2 weeks ago

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ

સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…

2 weeks ago