સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં પ્રાથમિક સુવિધાઓ મુદ્દે આક્રમક રજૂઆત કરનાર આમ આદમી પાર્ટીના નેતાઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે. મનપાના ડેપ્યુટી કમિશનરના PA દ્વારા કરવામાં આવેલી અરજીના આધારે એ-ડિવિઝન પોલીસ દ્વારા ‘આપ’ના શહેર પ્રમુખ કમલેશ કોટેચા, વઢવાણ વિધાનસભા પ્રભારી દીપક ચિહલા, અતુલ વેગડ અને કૃણાલ શાહની અટકાયત કરવામાં આવી છે.
આ નેતાઓ ગણપતિ ફાટસર વિસ્તારમાં નવા રોડ-રસ્તા બનાવવા અને અન્ય વહીવટી પ્રશ્નો મુદ્દે ઉગ્ર રજૂઆત કરવા મનપા કચેરી પહોંચ્યા હતા. મનપા સત્તાધીશોનો આક્ષેપ છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા રજૂઆત કરવાની રીત યોગ્ય નથી અને તેનાથી સરકારી કામકાજમાં અવરોધ ઊભો થાય છે.
બીજી તરફ, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા વિક્રમ દવે સહિતના આગેવાનોએ આ કાર્યવાહીને રાજકીય કિન્નાખોરી ગણાવી છે. ‘આપ’ નેતાઓનો આક્ષેપ છે કે આગામી મહાનગરપાલિકાની ચૂંટણી માટે જે ઉમેદવારોના નામ જાહેર કરાયા છે, તેમને જ જાણીજોઈને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. કોઈપણ પૂર્વ લેખિત ફરિયાદ વગર માત્ર ટેલિફોનિક સૂચનાથી નેતાઓને પોલીસ મથકે બોલાવી કલાકો સુધી બેસાડી રાખવામાં આવતા રાજકારણ ગરમાયું છે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, મનપાના અધિકારીઓની ફરિયાદને પગલે કાયદો અને વ્યવસ્થા જાળવવા આ પગલાં લેવાયા છે. જોકે, પોલીસ મથકે કાર્યકરો અને નેતાઓના ભારે ધમપછાડા છતાં પોલીસે પોતાની કાર્યવાહી ચાલુ રાખી હતી.
આગામી સમયમાં અધિકારીઓ સાથે શાંતિપૂર્ણ વર્તન કરવા અને નિયમ મુજબ રજૂઆત કરવાની સૂચના સાથે હાલ તપાસ તેજ કરવામાં આવી છે. આ ઘટનાને પગલે સુરેન્દ્રનગરના રાજકીય આલમમાં ભારે ચર્ચાઓ જાગી છે અને મનપા વિરુદ્ધ વિપક્ષનો વિરોધ વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે.
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…