સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ થયો છે. ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારો અત્યારથી જ વહીવટી પ્રક્રિયામાં વ્યસ્ત બન્યા છે, જેના કારણે મહાનગરપાલિકાના ટેક્સ વિભાગમાં ભારે ભીડ જોવા મળી રહી છે.
ચૂંટણીના નિયમ મુજબ ઉમેદવારી નોંધાવવા માટે મિલકત વેરો બાકી ન હોવો જોઈએ અથવા જો મિલકત ન હોય તો તેનો સત્તાવાર દાખલો રજૂ કરવો પડે છે. આ જ કારણ છે કે છેલ્લા 2 દિવસમાં જ 168 જેટલા લોકોએ ‘મિલકત ન હોવાનો દાખલો’ કઢાવ્યો છે.
ભાજપ અને કોંગ્રેસ દ્વારા હજુ સુધી ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા નથી, પરંતુ ટિકિટ મેળવવાની ઈચ્છા ધરાવતા કાર્યકરોએ પોતાના ટાઈટલ ક્લિયર કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
બીજી તરફ, આમ આદમી પાર્ટીએ અંદાજિત 30 ઉમેદવારોના નામ જાહેર કરી દેતા અન્ય પક્ષોમાં પણ સળવળાટ જોવા મળી રહ્યો છે. અનેક સંભવિત ઉમેદવારોએ પાલિકાની આવકમાં વધારો કરતા લાખો રૂપિયાનો બાકી ટેક્સ ભરીને ક્લિયરન્સ મેળવી લીધું છે.
ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે સુરેન્દ્રનગર મામલતદાર કચેરી, કલેક્ટર કચેરી અને વઢવાણ પ્રાંત કચેરી ખાતેથી ફોર્મ વિતરણની કામગીરી પણ વેગવંતી બની છે. અત્યાર સુધીમાં વિવિધ વોર્ડ માટે 60 થી વધુ ફોર્મનો ઉપાડ થયો છે.
ઉમેદવારો પાંચ દિવસ અગાઉથી જ પોતાના દસ્તાવેજો તૈયાર કરી રહ્યા છે જેથી ઉમેદવારી ફોર્મ ભરતી વખતે કોઈ ટેકનિકલ ખામી ન રહી જાય. 2026 ની આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે રસાકસીભરો જંગ ખેલાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…