હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
આગાહી મુજબ, આગામી દિવસોમાં સુરેન્દ્રનગર, રાજકોટ અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. આ સંભવિત માવઠાને ધ્યાને રાખીને જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો અને વેપારીઓ માટે ખાસ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.
ખેતીવાડી અધિકારીએ ખેડૂતોને સૂચના આપી છે કે, જો ખેતરમાં પાકની કાપણી થઈ ગઈ હોય અને માલ ખુલ્લામાં પડ્યો હોય, તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવો અથવા તાડપત્રીથી વ્યવસ્થિત ઢાંકી દેવો. વરસાદી પાણી પાકના ઢગલા નીચે ન પહોંચે તે માટે માટીનો પાળો બનાવવા અને આ સમયગાળા દરમિયાન ખાતર કે જંતુનાશક દવાઓનો છંટકાવ ન કરવા જણાવાયું છે. ખાસ કરીને તૈયાર થયેલા રવિ પાકને નુકસાન ન થાય તે માટે ખેડૂતોએ સતર્ક રહેવું જરૂરી છે.
માર્કેટિંગ યાર્ડમાં માલ વેચવા આવતા ખેડૂતો અને વેપારીઓને પણ તકેદારી રાખવા અનુરોધ કરાયો છે. શક્ય હોય ત્યાં સુધી વરસાદી માહોલ દરમિયાન જણસોને યાર્ડમાં લાવવાનું ટાળવું અથવા શેડ નીચે સુરક્ષિત રાખવી. 2026 ના આ વર્ષે વાતાવરણમાં આવતા અચાનક પલટાને કારણે ખેતપેદાશોને નુકસાન ન થાય તે માટે તંત્ર દ્વારા આગોતરા પગલાં લેવામાં આવી રહ્યા છે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…