સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય, તાલુકા અને શહેરી વિસ્તારના પડતર પ્રશ્નોના નિકાલ માટે આગામી 26 મે 2026 ના રોજ સવારે 11:00 કલાકે દરેક તાલુકાની મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે.
આ ઉપરાંત, જિલ્લા કક્ષાનો ‘સ્વાગત’ કાર્યક્રમ 28 મે 2026 ના રોજ સવારે 11:00 કલાકે કલેક્ટર કચેરીના સભા ખંડમાં આયોજિત કરવામાં આવ્યો છે.
જે નાગરિકો પોતાના પ્રશ્નોની રજૂઆત કરવા માંગતા હોય તેમણે તાલુકા અને જિલ્લા કક્ષા માટે 10 મે 2026 સુધીમાં swagat.gujarat.gov.in વેબસાઈટ પર સાંજે 6:00 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
અરજદારે જરૂરી તમામ દસ્તાવેજોની PDF ઓનલાઈન અપલોડ કરવાની રહેશે. એક અરજદાર વધુમાં વધુ 2 પ્રશ્નો રજૂ કરી શકશે. ગ્રામ્ય કક્ષાના પ્રશ્નો માટે 10 મે સુધીમાં સંબંધિત તાલુકા વિકાસ અધિકારી (TDO) ને 2 નકલમાં અરજી આપવાની રહેશે. નોંધનીય છે કે કોર્ટ મેટર, સેવા વિષયક બાબતો કે બેન્કિંગને લગતા પ્રશ્નો આ કાર્યક્રમમાં ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…