ગુજરાતમાં વાતાવરણમાં સર્જાયેલા સતત ડિસ્ટર્બન્સને પગલે સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં 1 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને 2 સાયકલોનિક સર્ક્યુલેશન એમ કુલ 3 સિસ્ટમ સક્રિય થઈ છે.
આ ફેરફારને કારણે સુરેન્દ્રનગર જિલ્લામાં ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લામાં છૂટાછવાયા વરસાદની સાથે 40 થી 50 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
વરસાદની આગાહીને પગલે તંત્ર દ્વારા ખેડૂતોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. ખેતરમાં કાપણી કરેલા ઘઉં, તલ અને ચણા જેવા પાકોને સુરક્ષિત સ્થળે ખસેડવા તથા માર્કેટિંગ યાર્ડમાં જણસને શેડ નીચે રાખવા સૂચના અપાઈ છે.
ભારે પવનની શક્યતાને જોતા કાચા મકાનો કે ઝૂંપડામાં રહેતા લોકોને પણ તકેદારી રાખવા તાકીદ કરાઈ છે. કમોસમી માવઠાના ભયથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…