ગુજરાતમાં વાતાવરણમાં સર્જાયેલા સતત ડિસ્ટર્બન્સને પગલે સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં 1 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને 2 સાયકલોનિક સર્ક્યુલેશન એમ કુલ 3 સિસ્ટમ સક્રિય થઈ છે.
આ ફેરફારને કારણે સુરેન્દ્રનગર જિલ્લામાં ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લામાં છૂટાછવાયા વરસાદની સાથે 40 થી 50 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
વરસાદની આગાહીને પગલે તંત્ર દ્વારા ખેડૂતોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. ખેતરમાં કાપણી કરેલા ઘઉં, તલ અને ચણા જેવા પાકોને સુરક્ષિત સ્થળે ખસેડવા તથા માર્કેટિંગ યાર્ડમાં જણસને શેડ નીચે રાખવા સૂચના અપાઈ છે.
ભારે પવનની શક્યતાને જોતા કાચા મકાનો કે ઝૂંપડામાં રહેતા લોકોને પણ તકેદારી રાખવા તાકીદ કરાઈ છે. કમોસમી માવઠાના ભયથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…