ગુજરાતમાં વાતાવરણમાં સર્જાયેલા સતત ડિસ્ટર્બન્સને પગલે સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં 1 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને 2 સાયકલોનિક સર્ક્યુલેશન એમ કુલ 3 સિસ્ટમ સક્રિય થઈ છે.
આ ફેરફારને કારણે સુરેન્દ્રનગર જિલ્લામાં ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લામાં છૂટાછવાયા વરસાદની સાથે 40 થી 50 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
વરસાદની આગાહીને પગલે તંત્ર દ્વારા ખેડૂતોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. ખેતરમાં કાપણી કરેલા ઘઉં, તલ અને ચણા જેવા પાકોને સુરક્ષિત સ્થળે ખસેડવા તથા માર્કેટિંગ યાર્ડમાં જણસને શેડ નીચે રાખવા સૂચના અપાઈ છે.
ભારે પવનની શક્યતાને જોતા કાચા મકાનો કે ઝૂંપડામાં રહેતા લોકોને પણ તકેદારી રાખવા તાકીદ કરાઈ છે. કમોસમી માવઠાના ભયથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સત્તાવાર મતદાન પૂર્વે જ રાજકીય માહોલ સંપૂર્ણપણે કેસરીયો બની ગયો…
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે પર મોડી રાત્રે એક કાળજું કંપાવી દેનારી દુર્ઘટના ઘટી છે. લખતરના…
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ તેની પ્રથમ યાદી જાહેર…
સુરેન્દ્રનગર શહેરની મુખ્ય શાક માર્કેટમાં ખરીદી કરવા આવેલી એક મહિલાનો મોબાઈલ ચોરી કરી ભાગી રહેલા…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ થયો છે. ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારો અત્યારથી…
હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોમાં ચિંતાનો…