Surendranagar

સુરેન્દ્રનગર: રોડ-રસ્તા અને રિવરફ્રન્ટના કામોની ગુણવત્તા ચકાસવા ખુદ મેયર ગ્રાઉન્ડ ઝીરો પર ઉતર્યા

Surendranagar Mayor | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરને મહાનગરપાલિકા (SNMC)નો દરજ્જો મળ્યા બાદ, હવે શહેરી વિસ્તારોમાં રોડ-રસ્તાના નવીનીકરણ અને સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. આ માટે અલગ-અલગ એજન્સીઓને (Agencies) કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ (Contract) આપવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગર શહેરનો મહત્વકાંક્ષી મુખ્ય રિવરફ્રન્ટ (Surendranagar Riverfront) પ્રોજેક્ટ પણ અંદાજિત 7 કરોડ રૂપિયાના ખર્ચે જિલ્લા પંચાયતથી લઈને એમ.પી. શાહ સાયન્સ કોલેજ સુધી નિર્માણ પામી રહ્યો છે. આ રિવરફ્રન્ટ પ્રોજેક્ટની (Project) સાથે-સાથે શહેરમાં અન્ય મુખ્ય માર્ગોના વિકાસના કામો પણ હાલ પ્રગતિમાં છે.

જોકે, શહેરી વિસ્તારોમાં ચાલી રહેલા આ વિકાસકામોમાં નબળી ગુણવત્તાની સામગ્રી વપરાતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. આ ફરિયાદોને પગલે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ( Surendranagar Municipal Corporation) પ્રથમ મેયર (Mayor) રાકેશ રાઠોડે એક્શન મોડમાં આવીને જાતે જ ગ્રાઉન્ડ ઝીરો પર જઈ સ્થિતિની સમીક્ષા કરી હતી.

તેઓ મહાનગરપાલિકાની એન્જિનિયરોની (Engineers) આખી ટીમને સાથે રાખીને રસ્તાના કામોનું નિરીક્ષણ કરવા રૂબરૂ રોડ પર ઉતર્યા હતા. મેયરે સ્થળ પર જ કોન્ટ્રાક્ટરોને (Contractors) બોલાવીને કોઈપણ પ્રકારની બેદરકારી કે ગેરરીતિ ન ચલાવી લેવાની અને કામમાં ફરજિયાતપણે ગુણવત્તા (Quality) જાળવી રાખવાની કડક તાકીદ કરી હતી.

આ ઉપરાંત, ચોમાસાનો વરસાદ (Rain) શરૂ થાય તે પહેલાં જ તમામ રોડ-રસ્તાના કામો પૂર્ણ કરવા માટે એજન્સીઓને આદેશ આપવામાં આવ્યો છે. ખાસ કરીને રિવરફ્રન્ટ વિસ્તારમાં દર વર્ષે સર્જાતી પાણી ભરાવવાની સમસ્યા આ ચોમાસામાં ન નડે, તે માટે ચોક્કસ પ્લાનિંગ સાથેનું મજબૂત સ્ટ્રક્ચર (Structure) ઊભું કરવા સૂચના અપાઈ છે.

આ સમીક્ષા દરમિયાન મહાનગરપાલિકાના ચીફ એન્જિનિયર (Chief Engineer) કલ્પેશ ચૌહાણ પણ હાજર રહ્યા હતા, જેમને મેયર દ્વારા કામગીરી પર સતત સુપરવિઝન રાખવા માટે જરૂરી દિશાનિર્દેશો આપવામાં આવ્યા હતા.

surendranagarupdate1@gmail.com

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

5 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

6 days ago