Surendranagar

સુરેન્દ્રનગર એટીવીટી સેન્ટરમાં અરજદારોની કતારો: ઇ-સાઇનના ધાંધિયા અને સ્ટાફની અછતથી જનતા પરેશાન

સુરેન્દ્રનગર મામલતદાર કચેરીમાં આવેલી એટીવીટી (ATVT) શાખાની કામગીરી હાલ અરજદારો માટે માથાના દુખાવા સમાન બની છે. શહેરી વિસ્તારમાં 3 લાખથી વધુની વસ્તી હોવા છતાં, કચેરીમાં માત્ર 1 જ સિસ્ટમ કાર્યરત છે, જ્યારે બીજી સિસ્ટમ સ્ટાફના અભાવે બંધ હાલતમાં છે.

હાલમાં આરટીઇ (RTE) ના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે અને બીજી તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ 2026 યોજાવાની હોવાથી આવક, જાતિ અને ઇ-ડબલ્યુએસ (EWS) ના દાખલા કઢાવવા માટે વાલીઓ અને ઉમેદવારોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે.

કચેરીની કથળતી વ્યવસ્થાને કારણે અરજદારોને કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેવું પડે છે. નવા મામલતદારની નિમણૂક બાદ હજુ સુધી તેમની ‘ઇ-સાઇન’ (E-sign) સક્રિય ન થઈ હોવાના બહાના હેઠળ લોકોને 5-5 દિવસનું વેઇટિંગ આપવામાં આવી રહ્યું છે. RTE ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ હોવાથી વાલીઓમાં ભારે ચિંતા પ્રસરી છે.

આ ઉપરાંત, સ્થાનિક તલાટીઓને ચૂંટણીની કામગીરીમાં રોકી દેવામાં આવ્યા હોવાથી અરજદારોએ સહી-સિક્કા કરાવવા માટે પણ અહીં-તહીં ભટકવું પડી રહ્યું છે.

એક તરફ સરકાર ડિજિટલ ઇન્ડિયાની વાતો કરે છે, ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગરના મુખ્ય એટીવીટી સેન્ટરમાં પૂરતો સ્ટાફ ન હોવો તે તંત્રની નિષ્ફળતા દર્શાવે છે.

લોકોની માંગ છે કે જિલ્લા કલેક્ટર આ બાબતે ત્વરિત હસ્તક્ષેપ કરે અને બંધ પડેલી બીજી સિસ્ટમ શરૂ કરાવી ઇ-સાઇનની પ્રક્રિયા ઝડપી બનાવે. જો સમયસર દાખલાઓ નહીં મળે તો અનેક બાળકો RTE હેઠળ પ્રવેશથી વંચિત રહી જશે અને ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો પણ મુશ્કેલીમાં મુકાશે.

user 2

Recent Posts

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…

5 days ago

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

​ ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી ​ સરકારી શાળામાં…

6 days ago

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…

6 days ago

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…

1 week ago

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…

1 week ago

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…

1 week ago