Surendranagar

જમીન કૌભાંડના મુખ્ય સૂત્રધાર ચંદ્રસિંહ મોરી પાસેથી 1.22 કરોડની અપ્રમાણસર મિલકત ઝડપાઈ

સુરેન્દ્રનગર જિલ્લાના બહુચર્ચિત જમીન એન.એ. (NA) કૌભાંડમાં સંકળાયેલા સસ્પેન્ડેડ નાયબ મામલતદાર ચંદ્રસિંહ ભુપતસિંહ મોરીની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે.

એસીબી (ACB) વિભાગ દ્વારા કરવામાં આવેલી મિલકતની તપાસમાં ચોંકાવનારો ધડાકો થયો છે કે, ચંદ્રસિંહ મોરી પાસે તેમની કાયદેસરની આવક કરતા 56.89 ટકા વધુ સંપત્તિ છે. તપાસ દરમિયાન કુલ 1.22 કરોડ રૂપિયાથી વધુની અપ્રમાણસર મિલકત મળી આવતા એસીબીએ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તપાસમાં સામે આવ્યું છે કે ચંદ્રસિંહ મોરીએ સત્તાનો દુરુપયોગ કરી ગેરકાયદેસર આવક ઊભી કરી હતી. તેમણે પોતાના પરિવારજનો અને નજીકના સગા-સંબંધીઓના નામે સ્થાવર અને જંગમ મિલકતો વસાવી હતી.

કુલ 1,22,27,658 રૂપિયાની આ મિલકતો ભ્રષ્ટાચારના નાણાંથી ખરીદવામાં આવી હોવાની પુષ્ટિ થતા એસીબીએ વધુ એક ફરિયાદ નોંધી છે. ઉલ્લેખનીય છે કે, તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલ દ્વારા આચરવામાં આવેલા જમીન કૌભાંડમાં ચંદ્રસિંહ મોરી મુખ્ય સૂત્રધાર તરીકે સામે આવ્યા હતા.

આ સમગ્ર કેસની તપાસ સુરેન્દ્રનગર એસીબીના પીઆઈ એમ.ડી. પટેલને સોંપવામાં આવી છે. એસીબીના મદદનીશ નિયામક જે.ડી. મેવાડા અને તેમની ટીમે પુરાવા એકત્રિત કર્યા છે. એસીબી દ્વારા જાહેર જનતાને પણ અપીલ કરવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિ પાસે ચંદ્રસિંહ મોરીની ગેરકાયદેસર લેવડદેવડના હિસાબો કે અન્ય પુરાવા હોય, તો તે એસીબીને સોંપે જેથી આરોપી સામે વધુ કડક પગલાં ભરી શકાય.

user 2

Recent Posts

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…

5 days ago

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

​ ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી ​ સરકારી શાળામાં…

6 days ago

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…

6 days ago

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…

1 week ago

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…

1 week ago

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…

1 week ago