Surendranagar

વઢવાણમાં જર્જરિત નર્મદા કેનાલોમાં ગાબડાં પડતા 50 થી વધુ ખેતરો બંજર, રિપેરિંગની માંગ

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય અને માઈનોર કેનાલો હાલ અત્યંત જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. કેનાલોમાં ઠેર-ઠેર ગાબડાં પડવાના કારણે પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

ખાસ કરીને કોઠારીયા ગામ પાસેથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાં મોટા ગાબડાં પડવાને લીધે આસપાસના 50 થી વધુ ખેતરોમાં પાણી ભરાઈ રહ્યા છે, જેના પરિણામે ફળદ્રુપ જમીન બંજર બની ગઈ છે અને ખેડૂતો વાવેતર કરી શકતા નથી.

સ્થાનિક ખેડૂતો છેલ્લા 1 વર્ષથી આ અંગે તંત્રને રજૂઆત કરી રહ્યા છે. અગાઉ અધિકારીઓ દ્વારા એપ્રિલ મહિનામાં રિપેરિંગ કામ શરૂ કરવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.

ખેડૂતોનો આક્ષેપ છે કે દર વર્ષે કેનાલ તૂટવાને કારણે ઊભા પાકને નુકસાન થાય છે, જેનાથી મહેનત અને બિયારણનો ખર્ચ પણ માથે પડે છે. હાલમાં કેનાલમાં પાણી ચાલુ હોવા છતાં રિપેરિંગ શરૂ ન થતા ખેડૂતોમાં વહીવટી તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ખેડૂતોએ માંગ કરી છે કે ભલે 2 મહિના સુધી કેનાલો બંધ રાખવી પડે, પરંતુ તેનું કાયમી અને મજબૂત રિપેરિંગ કરવામાં આવે. જો કેનાલો વ્યવસ્થિત રીતે રિપેર થશે તો જ ખેતરોમાં આવતો ભેજ અને પાણીના ભરાવાની સમસ્યા દૂર થશે. વઢવાણ તાલુકાના ખેડૂતોએ લેખિત રજૂઆત કરી તાત્કાલિક ધોરણે આ કામગીરી હાથ ધરવા તાકીદ કરી છે જેથી આગામી સિઝનમાં પાકને બચાવી શકાય.

user 2

Recent Posts

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી

લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…

2 weeks ago

ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા

ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…

2 weeks ago

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…

2 weeks ago

ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર

ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…

2 weeks ago

સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…

2 weeks ago

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ

સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…

2 weeks ago