Surendranagar

વઢવાણમાં જર્જરિત નર્મદા કેનાલોમાં ગાબડાં પડતા 50 થી વધુ ખેતરો બંજર, રિપેરિંગની માંગ

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય અને માઈનોર કેનાલો હાલ અત્યંત જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. કેનાલોમાં ઠેર-ઠેર ગાબડાં પડવાના કારણે પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

ખાસ કરીને કોઠારીયા ગામ પાસેથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાં મોટા ગાબડાં પડવાને લીધે આસપાસના 50 થી વધુ ખેતરોમાં પાણી ભરાઈ રહ્યા છે, જેના પરિણામે ફળદ્રુપ જમીન બંજર બની ગઈ છે અને ખેડૂતો વાવેતર કરી શકતા નથી.

સ્થાનિક ખેડૂતો છેલ્લા 1 વર્ષથી આ અંગે તંત્રને રજૂઆત કરી રહ્યા છે. અગાઉ અધિકારીઓ દ્વારા એપ્રિલ મહિનામાં રિપેરિંગ કામ શરૂ કરવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.

ખેડૂતોનો આક્ષેપ છે કે દર વર્ષે કેનાલ તૂટવાને કારણે ઊભા પાકને નુકસાન થાય છે, જેનાથી મહેનત અને બિયારણનો ખર્ચ પણ માથે પડે છે. હાલમાં કેનાલમાં પાણી ચાલુ હોવા છતાં રિપેરિંગ શરૂ ન થતા ખેડૂતોમાં વહીવટી તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ખેડૂતોએ માંગ કરી છે કે ભલે 2 મહિના સુધી કેનાલો બંધ રાખવી પડે, પરંતુ તેનું કાયમી અને મજબૂત રિપેરિંગ કરવામાં આવે. જો કેનાલો વ્યવસ્થિત રીતે રિપેર થશે તો જ ખેતરોમાં આવતો ભેજ અને પાણીના ભરાવાની સમસ્યા દૂર થશે. વઢવાણ તાલુકાના ખેડૂતોએ લેખિત રજૂઆત કરી તાત્કાલિક ધોરણે આ કામગીરી હાથ ધરવા તાકીદ કરી છે જેથી આગામી સિઝનમાં પાકને બચાવી શકાય.

user 2

Recent Posts

સુરેન્દ્રનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો માસ્ટરસ્ટ્રોક: અનેક બેઠકો બિનહરીફ થવાના એંધાણ

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સત્તાવાર મતદાન પૂર્વે જ રાજકીય માહોલ સંપૂર્ણપણે કેસરીયો બની ગયો…

3 days ago

લખતર હાઈવે પર કાળમુખો ટ્રક પદયાત્રીઓ પર ફરી વળ્યો; રાજકોટના શ્રદ્ધાળુઓ સહિત 7 ના કરુણ મોત

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે પર મોડી રાત્રે એક કાળજું કંપાવી દેનારી દુર્ઘટના ઘટી છે. લખતરના…

3 days ago

સુરેન્દ્રનગર મનપાના ભાજપના તમામ 52 ઉમેદવારોના નામની જાહેરાત, જાણો કોને મળી ટિકિટ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ તેની પ્રથમ યાદી જાહેર…

1 week ago

સુરેન્દ્રનગર ટ્રાફિક પોલીસની સતર્કતા: બજારમાં મહિલાનો મોબાઈલ ચોરી ભાગતા શખ્સને પીછો કરી ઝડપી પાડ્યો

સુરેન્દ્રનગર શહેરની મુખ્ય શાક માર્કેટમાં ખરીદી કરવા આવેલી એક મહિલાનો મોબાઈલ ચોરી કરી ભાગી રહેલા…

1 week ago

સુરેન્દ્રનગર મનપા ચૂંટણીમાં ઉમેદવારોમાં મિલકત ટેક્સ ભરવા અને નો-ડ્યુ સર્ટિફિકેટ લેવા ભારે ઘસારો

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ થયો છે. ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારો અત્યારથી…

1 week ago

સુરેન્દ્રનગરમાં માવઠાની આગાહી: કમોસમી વરસાદથી પાક બચાવવા ખેતીવાડી વિભાગની ખેડૂતોને અપીલ

હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોમાં ચિંતાનો…

1 week ago