Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

સુરેન્દ્રનગર એટીવીટી સેન્ટરમાં અરજદારોની કતારો: ઇ-સાઇનના ધાંધિયા અને સ્ટાફની અછતથી જનતા પરેશાન

user 2 9 April 2026
સુરેન્દ્રનગર એટીવીટી સેન્ટરમાં અરજદારોની કતારો: ઇ-સાઇનના ધાંધિયા અને સ્ટાફની અછતથી જનતા પરેશાન

સુરેન્દ્રનગર મામલતદાર કચેરીમાં આવેલી એટીવીટી (ATVT) શાખાની કામગીરી હાલ અરજદારો માટે માથાના દુખાવા સમાન બની છે. શહેરી વિસ્તારમાં 3 લાખથી વધુની વસ્તી હોવા છતાં, કચેરીમાં માત્ર 1 જ સિસ્ટમ કાર્યરત છે, જ્યારે બીજી સિસ્ટમ સ્ટાફના અભાવે બંધ હાલતમાં છે.

હાલમાં આરટીઇ (RTE) ના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે અને બીજી તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ 2026 યોજાવાની હોવાથી આવક, જાતિ અને ઇ-ડબલ્યુએસ (EWS) ના દાખલા કઢાવવા માટે વાલીઓ અને ઉમેદવારોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે.

Join Our WhatsApp Group

કચેરીની કથળતી વ્યવસ્થાને કારણે અરજદારોને કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેવું પડે છે. નવા મામલતદારની નિમણૂક બાદ હજુ સુધી તેમની ‘ઇ-સાઇન’ (E-sign) સક્રિય ન થઈ હોવાના બહાના હેઠળ લોકોને 5-5 દિવસનું વેઇટિંગ આપવામાં આવી રહ્યું છે. RTE ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ હોવાથી વાલીઓમાં ભારે ચિંતા પ્રસરી છે.

આ ઉપરાંત, સ્થાનિક તલાટીઓને ચૂંટણીની કામગીરીમાં રોકી દેવામાં આવ્યા હોવાથી અરજદારોએ સહી-સિક્કા કરાવવા માટે પણ અહીં-તહીં ભટકવું પડી રહ્યું છે.

એક તરફ સરકાર ડિજિટલ ઇન્ડિયાની વાતો કરે છે, ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગરના મુખ્ય એટીવીટી સેન્ટરમાં પૂરતો સ્ટાફ ન હોવો તે તંત્રની નિષ્ફળતા દર્શાવે છે.

લોકોની માંગ છે કે જિલ્લા કલેક્ટર આ બાબતે ત્વરિત હસ્તક્ષેપ કરે અને બંધ પડેલી બીજી સિસ્ટમ શરૂ કરાવી ઇ-સાઇનની પ્રક્રિયા ઝડપી બનાવે. જો સમયસર દાખલાઓ નહીં મળે તો અનેક બાળકો RTE હેઠળ પ્રવેશથી વંચિત રહી જશે અને ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો પણ મુશ્કેલીમાં મુકાશે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: વઢવાણમાં જર્જરિત નર્મદા કેનાલોમાં ગાબડાં પડતા 50 થી વધુ ખેતરો બંજર, રિપેરિંગની માંગ
Next: જમીન કૌભાંડના મુખ્ય સૂત્રધાર ચંદ્રસિંહ મોરી પાસેથી 1.22 કરોડની અપ્રમાણસર મિલકત ઝડપાઈ

Related News

WADHVAN N

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

User 3 20 May 2026
SURE VIJ N

સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ

User 3 20 May 2026
BHOGAVO NADI NEW

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ

User 3 20 May 2026

Recent Post

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી LAKHTR N

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી

20 May 2026
ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા DHDR N

ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા

20 May 2026
સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો WADHVAN N

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

20 May 2026
ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર DHDR N

ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર

20 May 2026
સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ SURE VIJ N

સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ

20 May 2026
સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ BHOGAVO NADI NEW

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ

20 May 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add