Surendranagar

સુરેન્દ્રનગર: માળિયા બ્રાન્ચ કેનાલમાં કૌભાંડ? કામ વિના જ 45 લાખ ચૂકવાયા હોવાનો RTIમાં ધડાકો

નર્મદા નિગમની માળિયા બ્રાન્ચ કેનાલ પર ચાલતી કામગીરીમાં ગંભીર નાણાકીય અનિયમિતતાઓ અને મોટા ભ્રષ્ટાચારની આશંકા સેવાઈ રહી છે. ગેડીયા ગામના જાગૃત નાગરિક મેહબૂબખાન મલેક દ્વારા RTI (માહિતી અધિકાર) હેઠળ મેળવેલી વિગતોમાં આ ચોંકાવનારો પર્દાફાશ થયો છે.

આશરે 70 કિલોમીટર લાંબી આ કેનાલ પર પેટ્રોલિંગ, ચોકીદારી અને ગેટ ઓપરેટર તરીકે જે કર્મચારીઓના નામે માસિક બિલો પાસ કરવામાં આવ્યા છે. તેઓ સ્થળ પર ક્યારેય હાજર રહેતા જ નથી. સ્થાનીક ખેડૂતોની તપાસમાં સામે આવ્યું છે કે, એક જ વ્યક્તિ 3 થી 4 જગ્યાએ ફરજ બજાવતો હોવાનું દર્શાવી ખોટી રીતે પગાર મેળવી રહ્યો છે.

RTIના દસ્તાવેજો મુજબ, માત્ર કર્મચારીઓના કલર ફોટોગ્રાફ્સ મૂકીને જ બિલો પાસ કરી દેવાયા છે. અરજદારે પોતાના જોખમે લોકેશન અને સમય સાથેના GPRS વીડિયો પુરાવા એકત્ર કર્યા છે. જે સાબિત કરે છે કે, ફરજના સમયે કેનાલ પર કોઈ જ સ્ટાફ હાજર નહોતો. અંદાજે 2.50 કરોડ રૂપિયાના કુલ કોન્ટ્રાક્ટમાંથી અત્યાર સુધીમાં 45 લાખથી વધુની રકમ કોઈ પણ કામ કર્યા વિના જ ચૂકવી દેવામાં આવી હોવાની આશંકા છે. આ સરકારી નાણાંના કૌભાંડ અંગે નર્મદા નિગમના ગાંધીનગર સ્થિત મુખ્ય ઈજનેરને લેખિત ફરિયાદ કરવામાં આવી છે. અરજદારે નિગમની વિજિલન્સ ટીમ દ્વારા તપાસ કરાવી, જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં ભરવા અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરી છે. જો આગામી 10 દિવસમાં આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે, તો હાઈકોર્ટમાં PIL (જાહેર હિતની અરજી) અથવા એન્ટી-કરપ્શન બ્યુરો (ACB)માં ફરિયાદ કરવાની ચીમકી આપવામાં આવી છે.

User 3

Recent Posts

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…

5 days ago

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

​ ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી ​ સરકારી શાળામાં…

6 days ago

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…

6 days ago

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…

1 week ago

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…

1 week ago

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…

1 week ago