નર્મદા નિગમની માળિયા બ્રાન્ચ કેનાલ પર ચાલતી કામગીરીમાં ગંભીર નાણાકીય અનિયમિતતાઓ અને મોટા ભ્રષ્ટાચારની આશંકા સેવાઈ રહી છે. ગેડીયા ગામના જાગૃત નાગરિક મેહબૂબખાન મલેક દ્વારા RTI (માહિતી અધિકાર) હેઠળ મેળવેલી વિગતોમાં આ ચોંકાવનારો પર્દાફાશ થયો છે.
આશરે 70 કિલોમીટર લાંબી આ કેનાલ પર પેટ્રોલિંગ, ચોકીદારી અને ગેટ ઓપરેટર તરીકે જે કર્મચારીઓના નામે માસિક બિલો પાસ કરવામાં આવ્યા છે. તેઓ સ્થળ પર ક્યારેય હાજર રહેતા જ નથી. સ્થાનીક ખેડૂતોની તપાસમાં સામે આવ્યું છે કે, એક જ વ્યક્તિ 3 થી 4 જગ્યાએ ફરજ બજાવતો હોવાનું દર્શાવી ખોટી રીતે પગાર મેળવી રહ્યો છે.
RTIના દસ્તાવેજો મુજબ, માત્ર કર્મચારીઓના કલર ફોટોગ્રાફ્સ મૂકીને જ બિલો પાસ કરી દેવાયા છે. અરજદારે પોતાના જોખમે લોકેશન અને સમય સાથેના GPRS વીડિયો પુરાવા એકત્ર કર્યા છે. જે સાબિત કરે છે કે, ફરજના સમયે કેનાલ પર કોઈ જ સ્ટાફ હાજર નહોતો. અંદાજે 2.50 કરોડ રૂપિયાના કુલ કોન્ટ્રાક્ટમાંથી અત્યાર સુધીમાં 45 લાખથી વધુની રકમ કોઈ પણ કામ કર્યા વિના જ ચૂકવી દેવામાં આવી હોવાની આશંકા છે. આ સરકારી નાણાંના કૌભાંડ અંગે નર્મદા નિગમના ગાંધીનગર સ્થિત મુખ્ય ઈજનેરને લેખિત ફરિયાદ કરવામાં આવી છે. અરજદારે નિગમની વિજિલન્સ ટીમ દ્વારા તપાસ કરાવી, જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં ભરવા અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરી છે. જો આગામી 10 દિવસમાં આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે, તો હાઈકોર્ટમાં PIL (જાહેર હિતની અરજી) અથવા એન્ટી-કરપ્શન બ્યુરો (ACB)માં ફરિયાદ કરવાની ચીમકી આપવામાં આવી છે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…