સુરેન્દ્રનગર જિલ્લાના શહેરી વિસ્તારોમાં આગ લાગવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારમાં આવેલી ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં એક બ્યુટી પાર્લરમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી.
પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આગની તીવ્રતા જોઈને આસપાસના લોકોમાં ભારે અફડાતફડી મચી ગઈ હતી અને લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવીને આગ વધુ પ્રસરે તે પહેલાં તેના પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો.
આ દુર્ઘટનામાં ઘરમાં ચાલી રહેલા બ્યુટી પાર્લરની તમામ સાધન-સામગ્રી બળીને ખાખ થઈ ગઈ હતી, જેના કારણે મોટું આર્થિક નુકસાન થયું છે.
રાહતની વાત એ છે કે, આગ લાગતા જ પાર્લરમાં હાજર તમામ મહિલાઓ અને અન્ય લોકોને સમયસર અને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હોવાથી મોટી જાનહાનિ ટળી છે.
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…