Surendranagar

સુરેન્દ્રનગરમાં  42 ડિગ્રી તાપમાનમાં જનજીવન પ્રભાવિત, સેવાભાવી સંસ્થાઓ દ્વારા છાશ વિતરણ

સમગ્ર ગુજરાત સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. ઝાલાવાડ પંથકમાં સવારના 11 વાગ્યાથી જ આકરા તાપનો અનુભવ થઈ રહ્યો છે. તાપમાનનો પારો 42 ડિગ્રીને વટાવી જતાં લોકો ગરમીથી તોબા પોકારી ઉઠ્યા છે.

બપોરના સમયે શહેરના મુખ્ય માર્ગો અને બજારોમાં લોકોની અવરજવર નહિવત જોવા મળી રહી છે. જેના કારણે રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે. ખાસ કરીને રણકાંઠાના પાટડી અને ધ્રાંગધ્રા જેવા વિસ્તારોમાં ગરમીનો પારો 45 ડિગ્રીની આસપાસ નોંધાયો છે.

આકરી ગરમી સામે રક્ષણ મેળવવા માટે લોકો ઠંડા પીણા, લીંબુ શરબત અને શેરડીના રસનો સહારો લઈ રહ્યા છે. તંત્ર દ્વારા પણ હીટવેવની ગંભીરતાને ધ્યાને રાખી વૃદ્ધો, બાળકો અને સગર્ભા મહિલાઓને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. ડીહાઇડ્રેશનથી બચવા માટે વધુ પ્રમાણમાં પ્રવાહી લેવા અને સુતરાઉ વસ્ત્રો પહેરવાની સલાહ અપાઈ છે.

આવી વિકટ પરિસ્થિતિમાં માનવતા મહેકી ઉઠી છે. ધ્રાંગધ્રા જૈન જાગૃતિ કેન્દ્ર અને લેડીઝ વિંગ દ્વારા બજારમાં આવતા લોકો માટે નિઃશુલ્ક છાશ વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આગામી 21 દિવસ સુધી ચાલનારા આ સેવા યજ્ઞમાં દરરોજ 150 લીટર છાશનું વિતરણ કરવામાં આવે છે. જેનો લાભ અંદાજે 1000 જેટલા લોકો લઈ રહ્યા છે.

ખેતીકામ કે ખરીદી માટે આવતા ગ્રામીણ લોકો માટે આ છાશ આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં ગરમીનું જોર હજુ વધવાની શક્યતા છે. ત્યારે લોકોએ સાવચેત રહેવું અનિવાર્ય છે.

User 3

Recent Posts

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…

5 days ago

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

​ ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી ​ સરકારી શાળામાં…

6 days ago

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…

6 days ago

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…

1 week ago

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…

1 week ago

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…

1 week ago