Surendranagar

સુરેન્દ્રનગર જિલ્લામાં ખાતરના ભાવમાં તોતિંગ વધારો: ખેડૂતો પર આર્થિક બોજ વધ્યો

ગુજરાતમાં કપાસના ઉત્પાદનમાં અગ્રેસર ગણાતા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. મિડલ ઈસ્ટના દેશોમાં ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિ અને વૈશ્વિક સ્તરે ખાતરના પુરવઠામાં સર્જાયેલી અછતને કારણે કેન્દ્ર સરકાર દ્વારા ખાતરના ભાવમાં મોટો વધારો ઝીંકવામાં આવ્યો છે. ખાસ કરીને કપાસના વાવેતર સમયે પાયાના ખાતર તરીકે વપરાતા APS અને NPK ખાતરના ભાવમાં અનુક્રમે 700 અને 200 રૂપિયાનો વધારો થતા ખેડૂતોની ખેતી મોંઘી બની છે.

નવા ભાવ અને સ્ટોકની વિગત

નવી કિંમતો અનુસાર, APS ખાતર જે અગાઉ 1,550 રૂપિયામાં મળતું હતું. તેમાં 700 રૂપિયાનો વધારો થતા હવે ખેડૂતોએ પ્રતિ બેગ 2,250 રૂપિયા ચૂકવવા પડશે. તેવી જ રીતે NPK ખાતરના ભાવ 1,950 થી વધીને 2,150 રૂપિયા થયા છે. DAP ખાતરનો ભાવ 1350 અને યુરિયાનો ભાવ 267 રૂપિયા યથાવત રાખવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકા મથકો પર કુલ 3,884 મેટ્રિક ટન NPK, 3,108 મેટ્રિક ટન યુરિયા અને 839 મેટ્રિક ટન DAP ખાતરની ફાળવણી કરવામાં આવી છે.

તાલુકાવાર ખાતરની ફાળવણી (મેટ્રિક ટનમાં):

ડેપો         યુરિયા   DAP    NPK

ચોટીલા    112      109    206

દસાડા      352     175     295

ધ્રાંગધ્રા     448      212    551

સાયલા    322       67     374

ચુડા         157        63     487

લખતર    385      43     227

લીંબડી    459       75     239

મુળી        294         57     994

થાનગઢ   030       011    100

વઢવાણ   547       122    406

કુલ         3,108     0839   3,884

અધિકારીની અપીલ: વૈકલ્પિક ખાતર અને પ્રાકૃતિક ખેતી અપનાવો

નાયબ ખેતીવાડી અધિકારી ભરત પટેલે ખેડૂતોને અપીલ કરી છે કે, હાલમાં ખાતરની અછત અને વધતા ભાવને જોતા ખેડૂતોએ રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડવો જોઈએ. DAP ના સ્થાને સિંગલ સુપર ફોસ્ફેટ (SSP) નો ઉપયોગ જમીન અને ખિસ્સા બંને માટે ફાયદાકારક છે. વધુમાં, જો ખેડૂતો કપાસ સાથે તુવેર જેવા સહયોગી પાકોનું વાવેતર કરે તો જમીનમાં કુદરતી રીતે નાઇટ્રોજન પેદા થાય છે. જેનાથી યુરિયાની જરૂરિયાત ઘટે છે. ખેતીના ખર્ચને ઘટાડવા માટે પ્રાકૃતિક ખેતી તરફ વળવું એ જ હાલના સમયમાં શ્રેષ્ઠ વિકલ્પ છે.તંત્ર દ્વારા તમામ ડેપો સંચાલકોને નવા ભાવ મુજબ જ વેચાણ કરવા અને સ્ટોકની પારદર્શક જાળવણી કરવા કડક સૂચના આપવામાં આવી છે.

User 3

Recent Posts

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…

5 days ago

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

​ ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી ​ સરકારી શાળામાં…

6 days ago

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…

6 days ago

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…

1 week ago

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…

1 week ago

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…

1 week ago