Surendranagar

સુરેન્દ્રનગર જિલ્લામાં ખાતરના ભાવમાં તોતિંગ વધારો: ખેડૂતો પર આર્થિક બોજ વધ્યો

ગુજરાતમાં કપાસના ઉત્પાદનમાં અગ્રેસર ગણાતા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. મિડલ ઈસ્ટના દેશોમાં ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિ અને વૈશ્વિક સ્તરે ખાતરના પુરવઠામાં સર્જાયેલી અછતને કારણે કેન્દ્ર સરકાર દ્વારા ખાતરના ભાવમાં મોટો વધારો ઝીંકવામાં આવ્યો છે. ખાસ કરીને કપાસના વાવેતર સમયે પાયાના ખાતર તરીકે વપરાતા APS અને NPK ખાતરના ભાવમાં અનુક્રમે 700 અને 200 રૂપિયાનો વધારો થતા ખેડૂતોની ખેતી મોંઘી બની છે.

નવા ભાવ અને સ્ટોકની વિગત

નવી કિંમતો અનુસાર, APS ખાતર જે અગાઉ 1,550 રૂપિયામાં મળતું હતું. તેમાં 700 રૂપિયાનો વધારો થતા હવે ખેડૂતોએ પ્રતિ બેગ 2,250 રૂપિયા ચૂકવવા પડશે. તેવી જ રીતે NPK ખાતરના ભાવ 1,950 થી વધીને 2,150 રૂપિયા થયા છે. DAP ખાતરનો ભાવ 1350 અને યુરિયાનો ભાવ 267 રૂપિયા યથાવત રાખવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકા મથકો પર કુલ 3,884 મેટ્રિક ટન NPK, 3,108 મેટ્રિક ટન યુરિયા અને 839 મેટ્રિક ટન DAP ખાતરની ફાળવણી કરવામાં આવી છે.

તાલુકાવાર ખાતરની ફાળવણી (મેટ્રિક ટનમાં):

ડેપો         યુરિયા   DAP    NPK

ચોટીલા    112      109    206

દસાડા      352     175     295

ધ્રાંગધ્રા     448      212    551

સાયલા    322       67     374

ચુડા         157        63     487

લખતર    385      43     227

લીંબડી    459       75     239

મુળી        294         57     994

થાનગઢ   030       011    100

વઢવાણ   547       122    406

કુલ         3,108     0839   3,884

અધિકારીની અપીલ: વૈકલ્પિક ખાતર અને પ્રાકૃતિક ખેતી અપનાવો

નાયબ ખેતીવાડી અધિકારી ભરત પટેલે ખેડૂતોને અપીલ કરી છે કે, હાલમાં ખાતરની અછત અને વધતા ભાવને જોતા ખેડૂતોએ રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડવો જોઈએ. DAP ના સ્થાને સિંગલ સુપર ફોસ્ફેટ (SSP) નો ઉપયોગ જમીન અને ખિસ્સા બંને માટે ફાયદાકારક છે. વધુમાં, જો ખેડૂતો કપાસ સાથે તુવેર જેવા સહયોગી પાકોનું વાવેતર કરે તો જમીનમાં કુદરતી રીતે નાઇટ્રોજન પેદા થાય છે. જેનાથી યુરિયાની જરૂરિયાત ઘટે છે. ખેતીના ખર્ચને ઘટાડવા માટે પ્રાકૃતિક ખેતી તરફ વળવું એ જ હાલના સમયમાં શ્રેષ્ઠ વિકલ્પ છે.તંત્ર દ્વારા તમામ ડેપો સંચાલકોને નવા ભાવ મુજબ જ વેચાણ કરવા અને સ્ટોકની પારદર્શક જાળવણી કરવા કડક સૂચના આપવામાં આવી છે.

User 3

Recent Posts

સુરેન્દ્રનગર જિલ્લામાં જન્માષ્ટમીના તહેવારો અનુસંધાને મીઠાઈ અને ફરસાણનું ભાવ બાંધણું

આગામી જન્માષ્ટમીના તહેવારો દરમિયાન સામાન્ય લોકોને શુદ્ધ, સાત્વિક અને ગુણવતા યુક્ત મીઠાઈ તથા ફરસાણ વ્યાજબી…

8 hours ago

વઢવાણમાં પીવાના પાણીની સમસ્યા ઉકેલવા ભોગાવો નદીમાં પાઇપલાઇનનું નેટવર્ક ઊભું કરાયું

Wadhwan Water Pipeline | સુરેન્દ્રનગરમાં ધોળીધજા ડેમ 16 ફૂટ ભરેલો હોવા છતાં સ્થાનિક રહીશોને 3…

11 hours ago

મુળીના ભવાનીગઢમાં રેન્જ IGની ટીમનો દરોડો: 2.08 લાખનો દેશી દારૂ અને આથો ઝડપાયો

Bhavanigarh Liquor Raid | મુળી તાલુકાના ભવાનીગઢ ગામની સીમમાં ચાલતી ગેરકાયદે દેશી દારૂની ભઠ્ઠી પર રાજકોટ…

11 hours ago

વઢવાણમાં 150 વર્ષ જૂના ચરમાળિયા દેવ મંદિરે નાગપંચમીએ ભક્તોનું મહેરામણ ઉમટ્યું

Nag Panchami | નાગપંચમીના પાવન પર્વ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લાભરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.…

11 hours ago

સુરેન્દ્રનગરની દુધરેજ કેનાલમાંથી આધેડનો મૃતદેહ મળ્યો

Dudhrej Canal | સુરેન્દ્રનગર શહેરમાં દુધરેજ નજીક પસાર થતી નર્મદા કેનાલના રેલવે નાળા નજીકથી એક…

11 hours ago

વઢવાણ ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત THR અને મિલેટ્સમાંથી પૌષ્ટિક વાનગી નિદર્શન તથા સ્પર્ધા યોજાઈ

Poshan Utsav Wadhwan | સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ઘટક-2 ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા…

12 hours ago