Surendranagar

ચૂંટણી આચારસંહિતા: સુરેન્દ્રનગરમાં ઉમેદવારોના વાહનોના કાફલા પર નિયંત્રણ, 10 થી વધુ વાહનો પર પ્રતિબંધ

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજવા માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.

જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા એક મહત્વનું જાહેરનામું બહાર પાડીને ચૂંટણી પ્રચાર દરમિયાન વાહનોના કાફલા પર કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે.

આ નવા નિયમ મુજબ, કોઈપણ રાજકીય પક્ષ કે ઉમેદવાર પોતાના પ્રચાર કાફલામાં એકસાથે 10 થી વધુ વાહનો રાખી શકશે નહીં. આ મર્યાદા કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓના કોન્વોયને પણ સમાન રીતે લાગુ પડશે.

જાહેરનામાની વિગતો અનુસાર, જો કાફલામાં વાહનોની સંખ્યા 10 થી વધારે હોય, તો બે કાફલા વચ્ચે ઓછામાં ઓછું 100 મીટરનું અંતર જાળવવું ફરજિયાત રહેશે. આ ઉપરાંત, ચૂંટણી અધિકારીની કચેરીના 100 મીટરના વિસ્તારમાં ઉમેદવાર માત્ર 3 વાહનો સાથે જ પ્રવેશ કરી શકશે.

ફોર્મ ભરવા અથવા અન્ય કામકાજ માટે કચેરીની અંદર ઉમેદવાર સહિત માત્ર 5 વ્યક્તિઓને જ પ્રવેશની મંજૂરી આપવામાં આવશે. આ નિયમમાંથી ફરજ પરના સરકારી વાહનો અને ચૂંટણી સ્ટાફના વાહનોને મુક્તિ આપવામાં આવી છે.

આ આદેશ સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી એટલે કે 30 એપ્રિલ 2026 ના રોજ રાત્રે 24:00 કલાક સુધી અમલમાં રહેશે. જો કોઈ વ્યક્તિ કે ઉમેદવાર આ જાહેરનામાનો ભંગ કરશે, તો તેમની સામે ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ 131 હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. શાંતિપૂર્ણ મતદાન અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી આ નિર્ણય લેવાયો છે.

user 2

Recent Posts

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…

5 days ago

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

​ ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી ​ સરકારી શાળામાં…

6 days ago

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…

6 days ago

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…

1 week ago

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…

1 week ago

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…

1 week ago