સુરેન્દ્રનગર જિલ્લામાં સામાજિક સેવા ક્ષેત્રે અગ્રેસર રહેલા રાહુલ ભાનુભાઈ શુક્લા ફાઉન્ડેશન દ્વારા દેશના વીર સૈનિકોના સન્માનમાં એક પ્રશંસનીય પગલું લેવામાં આવ્યું છે.
ફાઉન્ડેશન દ્વારા દેશની સરહદો પર ખડેપગે રક્ષણ કરતા સૈનિકો, પૂર્વ સૈનિકો અને વીર નારીઓના પરિવારોને આર્થિક સહાય પૂરી પાડવાના હેતુથી સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં 1,00,000 રૂપિયાનું ઉમદા યોગદાન આપવામાં આવ્યું છે.
આ સેવા કાર્યના ભાગરૂપે, 31 માર્ચ 2026 ના રોજ ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ દ્વારા 1 લાખ રૂપિયાનો ચેક સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર અને ‘જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી’ ના પ્રમુખને અર્પણ કરવામાં આવ્યો હતો.
આ ભંડોળનો ઉપયોગ સૈનિકોના આશ્રિતોના કલ્યાણ અને તેમના પુનર્વસવાટની વિવિધ પ્રવૃત્તિઓ માટે કરવામાં આવશે. ફાઉન્ડેશનનું આ રાષ્ટ્રપ્રેમી પગલું સમાજમાં દેશસેવા પ્રત્યેની જવાબદારીનો સુંદર સંદેશ પાઠવે છે.
રાહુલ ભાનુભાઈ શુક્લા ફાઉન્ડેશન દ્વારા વર્ષોથી જિલ્લામાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, પરંતુ સૈનિકો માટે કરેલું આ દાન તેમની દેશભક્તિને ઉજાગર કરે છે. આ પ્રસંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ ફાઉન્ડેશનની ઉદારતાની સરાહના કરવામાં આવી હતી અને તેને અન્ય સંસ્થાઓ માટે પ્રેરણારૂપ ગણાવ્યું હતું. સૈનિકોના પરિવારોને સંકટ સમયે મદદરૂપ થવાનો આ પ્રયાસ ખરેખર બિરદાવવા લાયક છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સત્તાવાર મતદાન પૂર્વે જ રાજકીય માહોલ સંપૂર્ણપણે કેસરીયો બની ગયો…
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે પર મોડી રાત્રે એક કાળજું કંપાવી દેનારી દુર્ઘટના ઘટી છે. લખતરના…
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ તેની પ્રથમ યાદી જાહેર…
સુરેન્દ્રનગર શહેરની મુખ્ય શાક માર્કેટમાં ખરીદી કરવા આવેલી એક મહિલાનો મોબાઈલ ચોરી કરી ભાગી રહેલા…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ થયો છે. ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારો અત્યારથી…
હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોમાં ચિંતાનો…