Surendranagar

મકાન માલિકો સાવધાન: સુરેન્દ્રનગરમાં ભાડુઆતની પોલીસ નોંધણી વગર મકાન ભાડે આપવા પર પ્રતિબંધ

સુરેન્દ્રનગર જિલ્લામાં જાહેર સલામતી અને શાંતિ જાળવી રાખવા માટે વહીવટી તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અસામાજિક અને ત્રાસવાદી તત્વો ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં ગુપ્ત રીતે આશરો ન મેળવે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કે.આર. પટેલ દ્વારા મકાન ભાડે આપવા અંગેનું કડક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

આ આદેશ મુજબ, હવે જિલ્લામાં કોઈપણ મકાન માલિકે મકાન ભાડે આપતા પહેલા સંબંધિત પોલીસ સ્ટેશનમાં ફરજિયાતપણે જાણ કરવાની રહેશે.

નવા નિયમ અનુસાર, મકાન માલિકોએ ભાડુઆતનું નામ, કાયમી સરનામું, ફોટોગ્રાફ અને ઓળખના પુરાવા સહિતની તમામ વિગતો નિયત ફોર્મમાં ભરીને પોલીસ સ્ટેશને જમા કરાવવાની રહેશે. આ ઉપરાંત મકાનની વિગત, બાંધકામનું ક્ષેત્રફળ, માસિક ભાડું અને મકાન માલિક સાથે સંપર્ક કરાવનાર દલાલ કે ઓળખાણ આપનાર વ્યક્તિની માહિતી પણ આપવી અનિવાર્ય છે. પોલીસને જાણ કર્યા વગર મકાન ભાડે આપવું હવે કાયદાકીય ગુનો ગણાશે.

આ જાહેરનામું સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં 31 મે 2026 સુધી અમલમાં રહેશે. જો કોઈ મકાન માલિક અથવા મિલકત ધારક આ નિયમોનું ઉલ્લંઘન કરશે, તો તેમની સામે ભારતીય ન્યાય સંહિતા – 2023ની કલમ 223 મુજબ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ સુરક્ષાના ભાગરૂપે આ નિયમનું ચુસ્તપણે પાલન કરે અને શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તુરંત પોલીસને જાણ કરે.

user 2

Recent Posts

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…

5 days ago

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

​ ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી ​ સરકારી શાળામાં…

6 days ago

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…

6 days ago

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…

1 week ago

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…

1 week ago

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…

1 week ago