સુરેન્દ્રનગર જિલ્લામાં જાહેર સલામતી અને શાંતિ જાળવી રાખવા માટે વહીવટી તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અસામાજિક અને ત્રાસવાદી તત્વો ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં ગુપ્ત રીતે આશરો ન મેળવે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કે.આર. પટેલ દ્વારા મકાન ભાડે આપવા અંગેનું કડક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
આ આદેશ મુજબ, હવે જિલ્લામાં કોઈપણ મકાન માલિકે મકાન ભાડે આપતા પહેલા સંબંધિત પોલીસ સ્ટેશનમાં ફરજિયાતપણે જાણ કરવાની રહેશે.
નવા નિયમ અનુસાર, મકાન માલિકોએ ભાડુઆતનું નામ, કાયમી સરનામું, ફોટોગ્રાફ અને ઓળખના પુરાવા સહિતની તમામ વિગતો નિયત ફોર્મમાં ભરીને પોલીસ સ્ટેશને જમા કરાવવાની રહેશે. આ ઉપરાંત મકાનની વિગત, બાંધકામનું ક્ષેત્રફળ, માસિક ભાડું અને મકાન માલિક સાથે સંપર્ક કરાવનાર દલાલ કે ઓળખાણ આપનાર વ્યક્તિની માહિતી પણ આપવી અનિવાર્ય છે. પોલીસને જાણ કર્યા વગર મકાન ભાડે આપવું હવે કાયદાકીય ગુનો ગણાશે.
આ જાહેરનામું સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં 31 મે 2026 સુધી અમલમાં રહેશે. જો કોઈ મકાન માલિક અથવા મિલકત ધારક આ નિયમોનું ઉલ્લંઘન કરશે, તો તેમની સામે ભારતીય ન્યાય સંહિતા – 2023ની કલમ 223 મુજબ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ સુરક્ષાના ભાગરૂપે આ નિયમનું ચુસ્તપણે પાલન કરે અને શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તુરંત પોલીસને જાણ કરે.
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…