સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકીએ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ભીડને નિયંત્રિત કરવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે વિશેષ જાહેરનામું બહાર પાડ્યું છે.
આ નવા નિયમો મુજબ, ઉમેદવારી પત્રો ભરતી વખતે ચૂંટણી અધિકારીની કચેરીના 100 મીટરના વિસ્તારમાં માત્ર 3 વાહનોને જ પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે.
વધુમાં, કચેરીની અંદર ઉમેદવાર સહિત માત્ર 5 વ્યક્તિઓ જ પ્રવેશી શકશે. આ નિયમ રાજકીય પક્ષના ઉમેદવારો તેમજ અપક્ષ ઉમેદવારો બંનેને સમાન રીતે લાગુ પડશે.
જો વધુ ટેકેદારોની હાજરી જરૂરી હોય, તો જૂના સભ્યો બહાર નીકળ્યા બાદ જ અન્ય વ્યક્તિઓ પ્રવેશ મેળવી શકશે. આ નિયંત્રણો 6 એપ્રિલ, 2026થી 11 એપ્રિલ, 2026 સુધી અમલમાં રહેશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 223 મુજબ કડક પગલાં લેવામાં આવશે.
વઢવાણ તાલુકાના કોઠારીયા ગામ ખાતે પૂજ્ય વજાભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું…
સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે આરટીઓ (RTO) તંત્ર દ્વારા આક્રમક…
સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને અનુલક્ષીને મહત્વનું જાહેરનામું…
ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની પ્રદેશ ભાજપની મહત્વની સંકલન સમિતિ (કોર કમિટી) માં…
ભાજપ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી નગરપાલિકામાં સત્તા મેળવશે પાલિકાઓમાં 30 ટકાથી વધુ જૂના કોર્પોરેટરોને ટિકિટ…
સુરેન્દ્રનગરના જોરાવરનગર પોલીસે રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર ટ્રાન્સપોર્ટ ટેન્કરમાં છુપાવેલું દારૂનું મોટું નેટવર્ક ઝડપી પાડયું…