સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને અનુલક્ષીને મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
26 એપ્રિલ, 2026 ના રોજ યોજાનાર મતદાન અને 28 એપ્રિલના રોજ થનારી મતગણતરી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે આ નિર્ણય લેવાયો છે.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા, નગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે વહીવટી તંત્રની પ્રાથમિકતા છે.
જાહેરનામા મુજબ, સુરેન્દ્રનગર જિલ્લાના તમામ પરવાનાધારકોએ પોતાના હથિયારો તાત્કાલિક અસરથી નજીકના પોલીસ સ્ટેશન અથવા માન્ય આર્મ્સ ડીલર પાસે જમા કરાવવાના રહેશે. ખાસ કરીને થાનગઢ નગરપાલિકા વિસ્તારના રહીશોએ આ નિયમનું ચુસ્ત પાલન કરવાનું રહેશે.
જોકે, બેંક સુરક્ષા ગાર્ડ અને ફરજ પરના પોલીસ અધિકારીઓને આમાંથી મુક્તિ અપાઈ છે. આ આદેશનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 223 હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.
વઢવાણ તાલુકાના કોઠારીયા ગામ ખાતે પૂજ્ય વજાભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું…
સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે આરટીઓ (RTO) તંત્ર દ્વારા આક્રમક…
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા…
ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની પ્રદેશ ભાજપની મહત્વની સંકલન સમિતિ (કોર કમિટી) માં…
ભાજપ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી નગરપાલિકામાં સત્તા મેળવશે પાલિકાઓમાં 30 ટકાથી વધુ જૂના કોર્પોરેટરોને ટિકિટ…
સુરેન્દ્રનગરના જોરાવરનગર પોલીસે રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર ટ્રાન્સપોર્ટ ટેન્કરમાં છુપાવેલું દારૂનું મોટું નેટવર્ક ઝડપી પાડયું…