સુરેન્દ્રનગર-ધાંગધ્રા હાઈવે પર મુસાફરી કરતા વાહનચાલકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજસીતાપુર નજીક આવેલું રેલવે ફાટક આગામી 4 દિવસ સુધી રાત્રિના સમયે મેન્ટેનન્સની કામગીરીને પગલે સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રેલવે એન્જિનિયરિંગ વિભાગ દ્વારા પાટાઓના રિપેરિંગ અને અન્ય જરૂરી મરામત કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી આ નિર્ણય લેવાયો છે.
રેલવે વિભાગના જણાવ્યા અનુસાર, તારીખ 8 એપ્રિલ થી 11 એપ્રિલ સુધી દરરોજ રાત્રે 09:00 વાગ્યાથી સવારે 06:00 વાગ્યા સુધી આ ફાટક બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન હાઈવે પરથી પસાર થતા વાહનોની અવરજવર અટકાવી દેવામાં આવશે.
ખાસ કરીને ધાંગધ્રા, હળવદ અને મોરબી તરફ જતા વાહનચાલકોએ રાત્રિ દરમિયાન અન્ય વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવો પડશે. દિવસે આ ફાટક રાબેતા મુજબ ચાલુ રહેશે, પરંતુ રાત્રિના સમયે કામગીરી ચાલતી હોવાથી રસ્તો બ્લોક રહેશે.
એન્જિનિયરિંગ વિભાગે સ્પષ્ટતા કરી છે કે રેલવે ટ્રેકની સુરક્ષા અને આધુનિકીકરણ માટે આ મેન્ટેનન્સ અનિવાર્ય છે. વાહનચાલકોને કોઈ અગવડ ન પડે અને લાંબો ધક્કો ન ખાવો પડે તે માટે અગાઉથી જ આ માહિતી જાહેર કરવામાં આવી છે. રેલવે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે મુસાફરો પોતાની મુસાફરીનું આયોજન આ સમયપત્રક મુજબ કરે અને તંત્રને સહકાર આપે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…