Surendranagar

સુરેન્દ્રનગર-ધાંગધ્રા હાઈવે પર રાજસીતાપુર નજીક આવેલું ફાટક 4 દિવસ રાત્રિ દરમિયાન બંધ રહેશે

સુરેન્દ્રનગર-ધાંગધ્રા હાઈવે પર મુસાફરી કરતા વાહનચાલકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજસીતાપુર નજીક આવેલું રેલવે ફાટક આગામી 4 દિવસ સુધી રાત્રિના સમયે મેન્ટેનન્સની કામગીરીને પગલે સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રેલવે એન્જિનિયરિંગ વિભાગ દ્વારા પાટાઓના રિપેરિંગ અને અન્ય જરૂરી મરામત કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી આ નિર્ણય લેવાયો છે.

રેલવે વિભાગના જણાવ્યા અનુસાર, તારીખ 8 એપ્રિલ થી 11 એપ્રિલ સુધી દરરોજ રાત્રે 09:00 વાગ્યાથી સવારે 06:00 વાગ્યા સુધી આ ફાટક બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન હાઈવે પરથી પસાર થતા વાહનોની અવરજવર અટકાવી દેવામાં આવશે.

ખાસ કરીને ધાંગધ્રા, હળવદ અને મોરબી તરફ જતા વાહનચાલકોએ રાત્રિ દરમિયાન અન્ય વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવો પડશે. દિવસે આ ફાટક રાબેતા મુજબ ચાલુ રહેશે, પરંતુ રાત્રિના સમયે કામગીરી ચાલતી હોવાથી રસ્તો બ્લોક રહેશે.

એન્જિનિયરિંગ વિભાગે સ્પષ્ટતા કરી છે કે રેલવે ટ્રેકની સુરક્ષા અને આધુનિકીકરણ માટે આ મેન્ટેનન્સ અનિવાર્ય છે. વાહનચાલકોને કોઈ અગવડ ન પડે અને લાંબો ધક્કો ન ખાવો પડે તે માટે અગાઉથી જ આ માહિતી જાહેર કરવામાં આવી છે. રેલવે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે મુસાફરો પોતાની મુસાફરીનું આયોજન આ સમયપત્રક મુજબ કરે અને તંત્રને સહકાર આપે.

user 2

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

5 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

6 days ago