સુરેન્દ્રનગર-ધાંગધ્રા હાઈવે પર મુસાફરી કરતા વાહનચાલકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજસીતાપુર નજીક આવેલું રેલવે ફાટક આગામી 4 દિવસ સુધી રાત્રિના સમયે મેન્ટેનન્સની કામગીરીને પગલે સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રેલવે એન્જિનિયરિંગ વિભાગ દ્વારા પાટાઓના રિપેરિંગ અને અન્ય જરૂરી મરામત કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી આ નિર્ણય લેવાયો છે.
રેલવે વિભાગના જણાવ્યા અનુસાર, તારીખ 8 એપ્રિલ થી 11 એપ્રિલ સુધી દરરોજ રાત્રે 09:00 વાગ્યાથી સવારે 06:00 વાગ્યા સુધી આ ફાટક બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન હાઈવે પરથી પસાર થતા વાહનોની અવરજવર અટકાવી દેવામાં આવશે.
ખાસ કરીને ધાંગધ્રા, હળવદ અને મોરબી તરફ જતા વાહનચાલકોએ રાત્રિ દરમિયાન અન્ય વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવો પડશે. દિવસે આ ફાટક રાબેતા મુજબ ચાલુ રહેશે, પરંતુ રાત્રિના સમયે કામગીરી ચાલતી હોવાથી રસ્તો બ્લોક રહેશે.
એન્જિનિયરિંગ વિભાગે સ્પષ્ટતા કરી છે કે રેલવે ટ્રેકની સુરક્ષા અને આધુનિકીકરણ માટે આ મેન્ટેનન્સ અનિવાર્ય છે. વાહનચાલકોને કોઈ અગવડ ન પડે અને લાંબો ધક્કો ન ખાવો પડે તે માટે અગાઉથી જ આ માહિતી જાહેર કરવામાં આવી છે. રેલવે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે મુસાફરો પોતાની મુસાફરીનું આયોજન આ સમયપત્રક મુજબ કરે અને તંત્રને સહકાર આપે.
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…