સુરેન્દ્રનગર-ધાંગધ્રા હાઈવે પર મુસાફરી કરતા વાહનચાલકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજસીતાપુર નજીક આવેલું રેલવે ફાટક આગામી 4 દિવસ સુધી રાત્રિના સમયે મેન્ટેનન્સની કામગીરીને પગલે સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રેલવે એન્જિનિયરિંગ વિભાગ દ્વારા પાટાઓના રિપેરિંગ અને અન્ય જરૂરી મરામત કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી આ નિર્ણય લેવાયો છે.
રેલવે વિભાગના જણાવ્યા અનુસાર, તારીખ 8 એપ્રિલ થી 11 એપ્રિલ સુધી દરરોજ રાત્રે 09:00 વાગ્યાથી સવારે 06:00 વાગ્યા સુધી આ ફાટક બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન હાઈવે પરથી પસાર થતા વાહનોની અવરજવર અટકાવી દેવામાં આવશે.
ખાસ કરીને ધાંગધ્રા, હળવદ અને મોરબી તરફ જતા વાહનચાલકોએ રાત્રિ દરમિયાન અન્ય વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવો પડશે. દિવસે આ ફાટક રાબેતા મુજબ ચાલુ રહેશે, પરંતુ રાત્રિના સમયે કામગીરી ચાલતી હોવાથી રસ્તો બ્લોક રહેશે.
એન્જિનિયરિંગ વિભાગે સ્પષ્ટતા કરી છે કે રેલવે ટ્રેકની સુરક્ષા અને આધુનિકીકરણ માટે આ મેન્ટેનન્સ અનિવાર્ય છે. વાહનચાલકોને કોઈ અગવડ ન પડે અને લાંબો ધક્કો ન ખાવો પડે તે માટે અગાઉથી જ આ માહિતી જાહેર કરવામાં આવી છે. રેલવે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે મુસાફરો પોતાની મુસાફરીનું આયોજન આ સમયપત્રક મુજબ કરે અને તંત્રને સહકાર આપે.
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સત્તાવાર મતદાન પૂર્વે જ રાજકીય માહોલ સંપૂર્ણપણે કેસરીયો બની ગયો…
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે પર મોડી રાત્રે એક કાળજું કંપાવી દેનારી દુર્ઘટના ઘટી છે. લખતરના…
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ તેની પ્રથમ યાદી જાહેર…
સુરેન્દ્રનગર શહેરની મુખ્ય શાક માર્કેટમાં ખરીદી કરવા આવેલી એક મહિલાનો મોબાઈલ ચોરી કરી ભાગી રહેલા…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ થયો છે. ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારો અત્યારથી…
હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોમાં ચિંતાનો…