સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 નો માહોલ ગરમાયો છે, ત્યારે ભાજપમાં મોટા પાયે ભંગાણના સમાચાર સામે આવ્યા છે. લીંબડી-ચુડા વિસ્તારમાં વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા કોળી સમાજના 50 થી વધુ સક્રિય કાર્યકર્તાઓ અને હોદ્દેદારોએ કેસરીયો છોડીને કોંગ્રેસનો હાથ પકડ્યો છે. આ રાજકીય ઉથલપાથલ પાછળ ભાજપ દ્વારા ટિકિટ ફાળવણી માટે બનાવવામાં આવેલા કડક નિયમો જવાબદાર હોવાનું માનવામાં આવે છે. ભાજપે 60 વર્ષથી વધુની ઉંમર, 3 ટર્મ લડેલા ઉમેદવારો અને સગાવાદ પર રોક લગાવતા અનેક જૂના કાર્યકર્તાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
કોળી સમાજના 52 ગામોના પ્રભાવશાળી આગેવાન તેજાભાઈ મેટાલીયાની આગેવાનીમાં આ પક્ષપલટો થયો છે. તેજાભાઈએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ છેલ્લા 8 થી 10 વર્ષથી જૂના અને વફાદાર કાર્યકર્તાઓની અવગણના કરી રહી છે અને નવા લોકોને મહત્વ આપી રહી છે. આ અન્યાયને કારણે લીંબડી અને ચુડા વિસ્તારના આગેવાનોએ રાજીનામું આપી કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસ દ્વારા આ તમામ આગેવાનોને ટિકિટ આપવાની ખાતરી આપવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની 32 અને તાલુકા પંચાયતની 182 બેઠકોની ચૂંટણી પહેલા થયેલું આ ભંગાણ ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે છે. પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકીની હાજરીમાં આ તમામ કાર્યકર્તાઓએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. આગામી સમયમાં નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓમાં પરિણામલક્ષી કામગીરી કરવાની નેમ આ અગ્રણીઓએ વ્યક્ત કરી છે. ચૂંટણીના આરે ભાજપમાં સર્જાયેલી અંદરોઅંદરની નારાજગી હવે કોંગ્રેસ માટે ફાયદાકારક સાબિત થઈ શકે તેમ છે.
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…