સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 નો માહોલ ગરમાયો છે, ત્યારે ભાજપમાં મોટા પાયે ભંગાણના સમાચાર સામે આવ્યા છે. લીંબડી-ચુડા વિસ્તારમાં વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા કોળી સમાજના 50 થી વધુ સક્રિય કાર્યકર્તાઓ અને હોદ્દેદારોએ કેસરીયો છોડીને કોંગ્રેસનો હાથ પકડ્યો છે. આ રાજકીય ઉથલપાથલ પાછળ ભાજપ દ્વારા ટિકિટ ફાળવણી માટે બનાવવામાં આવેલા કડક નિયમો જવાબદાર હોવાનું માનવામાં આવે છે. ભાજપે 60 વર્ષથી વધુની ઉંમર, 3 ટર્મ લડેલા ઉમેદવારો અને સગાવાદ પર રોક લગાવતા અનેક જૂના કાર્યકર્તાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
કોળી સમાજના 52 ગામોના પ્રભાવશાળી આગેવાન તેજાભાઈ મેટાલીયાની આગેવાનીમાં આ પક્ષપલટો થયો છે. તેજાભાઈએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ છેલ્લા 8 થી 10 વર્ષથી જૂના અને વફાદાર કાર્યકર્તાઓની અવગણના કરી રહી છે અને નવા લોકોને મહત્વ આપી રહી છે. આ અન્યાયને કારણે લીંબડી અને ચુડા વિસ્તારના આગેવાનોએ રાજીનામું આપી કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસ દ્વારા આ તમામ આગેવાનોને ટિકિટ આપવાની ખાતરી આપવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની 32 અને તાલુકા પંચાયતની 182 બેઠકોની ચૂંટણી પહેલા થયેલું આ ભંગાણ ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે છે. પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકીની હાજરીમાં આ તમામ કાર્યકર્તાઓએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. આગામી સમયમાં નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓમાં પરિણામલક્ષી કામગીરી કરવાની નેમ આ અગ્રણીઓએ વ્યક્ત કરી છે. ચૂંટણીના આરે ભાજપમાં સર્જાયેલી અંદરોઅંદરની નારાજગી હવે કોંગ્રેસ માટે ફાયદાકારક સાબિત થઈ શકે તેમ છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સત્તાવાર મતદાન પૂર્વે જ રાજકીય માહોલ સંપૂર્ણપણે કેસરીયો બની ગયો…
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે પર મોડી રાત્રે એક કાળજું કંપાવી દેનારી દુર્ઘટના ઘટી છે. લખતરના…
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ તેની પ્રથમ યાદી જાહેર…
સુરેન્દ્રનગર શહેરની મુખ્ય શાક માર્કેટમાં ખરીદી કરવા આવેલી એક મહિલાનો મોબાઈલ ચોરી કરી ભાગી રહેલા…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ થયો છે. ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારો અત્યારથી…
હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોમાં ચિંતાનો…