સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 નો માહોલ ગરમાયો છે, ત્યારે ભાજપમાં મોટા પાયે ભંગાણના સમાચાર સામે આવ્યા છે. લીંબડી-ચુડા વિસ્તારમાં વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા કોળી સમાજના 50 થી વધુ સક્રિય કાર્યકર્તાઓ અને હોદ્દેદારોએ કેસરીયો છોડીને કોંગ્રેસનો હાથ પકડ્યો છે. આ રાજકીય ઉથલપાથલ પાછળ ભાજપ દ્વારા ટિકિટ ફાળવણી માટે બનાવવામાં આવેલા કડક નિયમો જવાબદાર હોવાનું માનવામાં આવે છે. ભાજપે 60 વર્ષથી વધુની ઉંમર, 3 ટર્મ લડેલા ઉમેદવારો અને સગાવાદ પર રોક લગાવતા અનેક જૂના કાર્યકર્તાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
કોળી સમાજના 52 ગામોના પ્રભાવશાળી આગેવાન તેજાભાઈ મેટાલીયાની આગેવાનીમાં આ પક્ષપલટો થયો છે. તેજાભાઈએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ છેલ્લા 8 થી 10 વર્ષથી જૂના અને વફાદાર કાર્યકર્તાઓની અવગણના કરી રહી છે અને નવા લોકોને મહત્વ આપી રહી છે. આ અન્યાયને કારણે લીંબડી અને ચુડા વિસ્તારના આગેવાનોએ રાજીનામું આપી કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસ દ્વારા આ તમામ આગેવાનોને ટિકિટ આપવાની ખાતરી આપવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની 32 અને તાલુકા પંચાયતની 182 બેઠકોની ચૂંટણી પહેલા થયેલું આ ભંગાણ ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે છે. પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકીની હાજરીમાં આ તમામ કાર્યકર્તાઓએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. આગામી સમયમાં નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓમાં પરિણામલક્ષી કામગીરી કરવાની નેમ આ અગ્રણીઓએ વ્યક્ત કરી છે. ચૂંટણીના આરે ભાજપમાં સર્જાયેલી અંદરોઅંદરની નારાજગી હવે કોંગ્રેસ માટે ફાયદાકારક સાબિત થઈ શકે તેમ છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…