રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ 2026ની જાહેરાત કરવામાં આવી છે. આ ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકા હેઠળ આવતી 29-વીજળીયા જિલ્લા પંચાયત બેઠક માટે ઉમેદવારી પત્રો સ્વીકારવાના સ્થળોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
જે ઉમેદવારો આ બેઠક પરથી ચૂંટણી લડવા ઈચ્છે છે, તેઓ નિર્ધારિત સ્થળોએ જઈને પોતાનું ફોર્મ સબમિટ કરી શકશે. તંત્ર દ્વારા 29-વીજળીયા જિલ્લા પંચાયત બેઠક માટે ફોર્મ સ્વીકારવા મુખ્ય 2 સ્થળો નક્કી કરાયા છે.
પ્રથમ સ્થળ મામલતદાર કચેરી, ચોટીલા ખાતે રૂમ નંબર 1, મામલતદારની ચેમ્બરની બાજુમાં, તાલુકા સેવા સદન, રાજકોટ-અમદાવાદ હાઈવે છે. બીજા સ્થળ તરીકે થાનગઢ ખાતે લાખામાચી રોડ પર આવેલી તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં વ્યવસ્થા કરવામાં આવી છે. ઉમેદવારોએ સમયમર્યાદામાં આ નિયત સ્થળો પર જઈને પોતાની ઉમેદવારી નોંધાવવાની રહેશે.
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સત્તાવાર મતદાન પૂર્વે જ રાજકીય માહોલ સંપૂર્ણપણે કેસરીયો બની ગયો…
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે પર મોડી રાત્રે એક કાળજું કંપાવી દેનારી દુર્ઘટના ઘટી છે. લખતરના…
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ તેની પ્રથમ યાદી જાહેર…
સુરેન્દ્રનગર શહેરની મુખ્ય શાક માર્કેટમાં ખરીદી કરવા આવેલી એક મહિલાનો મોબાઈલ ચોરી કરી ભાગી રહેલા…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ થયો છે. ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારો અત્યારથી…
હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોમાં ચિંતાનો…