રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ 2026ની જાહેરાત કરવામાં આવી છે. આ ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકા હેઠળ આવતી 29-વીજળીયા જિલ્લા પંચાયત બેઠક માટે ઉમેદવારી પત્રો સ્વીકારવાના સ્થળોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
જે ઉમેદવારો આ બેઠક પરથી ચૂંટણી લડવા ઈચ્છે છે, તેઓ નિર્ધારિત સ્થળોએ જઈને પોતાનું ફોર્મ સબમિટ કરી શકશે. તંત્ર દ્વારા 29-વીજળીયા જિલ્લા પંચાયત બેઠક માટે ફોર્મ સ્વીકારવા મુખ્ય 2 સ્થળો નક્કી કરાયા છે.
પ્રથમ સ્થળ મામલતદાર કચેરી, ચોટીલા ખાતે રૂમ નંબર 1, મામલતદારની ચેમ્બરની બાજુમાં, તાલુકા સેવા સદન, રાજકોટ-અમદાવાદ હાઈવે છે. બીજા સ્થળ તરીકે થાનગઢ ખાતે લાખામાચી રોડ પર આવેલી તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં વ્યવસ્થા કરવામાં આવી છે. ઉમેદવારોએ સમયમર્યાદામાં આ નિયત સ્થળો પર જઈને પોતાની ઉમેદવારી નોંધાવવાની રહેશે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…