રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ 2026ની જાહેરાત કરવામાં આવી છે. આ ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકા હેઠળ આવતી 29-વીજળીયા જિલ્લા પંચાયત બેઠક માટે ઉમેદવારી પત્રો સ્વીકારવાના સ્થળોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
જે ઉમેદવારો આ બેઠક પરથી ચૂંટણી લડવા ઈચ્છે છે, તેઓ નિર્ધારિત સ્થળોએ જઈને પોતાનું ફોર્મ સબમિટ કરી શકશે. તંત્ર દ્વારા 29-વીજળીયા જિલ્લા પંચાયત બેઠક માટે ફોર્મ સ્વીકારવા મુખ્ય 2 સ્થળો નક્કી કરાયા છે.
પ્રથમ સ્થળ મામલતદાર કચેરી, ચોટીલા ખાતે રૂમ નંબર 1, મામલતદારની ચેમ્બરની બાજુમાં, તાલુકા સેવા સદન, રાજકોટ-અમદાવાદ હાઈવે છે. બીજા સ્થળ તરીકે થાનગઢ ખાતે લાખામાચી રોડ પર આવેલી તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં વ્યવસ્થા કરવામાં આવી છે. ઉમેદવારોએ સમયમર્યાદામાં આ નિયત સ્થળો પર જઈને પોતાની ઉમેદવારી નોંધાવવાની રહેશે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…