Surendranagar

સુરેન્દ્રનગર: 2710 આંગણવાડી વર્કર બહેનોએ આપી મતદાન બહિષ્કારની ચીમકી; પડતર પ્રશ્નો મુદ્દે સરકાર સામે રોષ

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Body Elections) પૂર્વે રાજકીય માહોલ ગરમાયો છે.

જિલ્લાની 1355 આંગણવાડીઓમાં ફરજ બજાવતી આશરે 2710 જેટલી આંગણવાડી વર્કર (Anganwadi Workers) બહેનોએ પોતાના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે મતદાન બહિષ્કારની (Election Boycott) ચીમકી ઉચ્ચારી છે.

છેલ્લા બે માસથી આ બહેનો પગાર વધારા અને ઓનલાઇન કામગીરી બંધ કરવાની માગ સાથે આંદોલન કરી રહી છે.

સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થયેલી પોસ્ટ્સ દ્વારા આંગણવાડી બહેનોએ સરકાર અને વહીવટી તંત્રને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જો કોર્ટના ચુકાદા મુજબ તેમના પગારમાં વધારો નહીં કરવામાં આવે, તો તેઓ લોકશાહીના આ પર્વમાં મતદાનથી દૂર રહેશે.

ખાસ કરીને ઓનલાઇન ડેટા એન્ટ્રીના વધારાના કામના બોજ સામે વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. એક તરફ શહેરી વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ મુદ્દે લોકો ઉમેદવારોનો વિરોધ (Protest) કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ આટલી મોટી સંખ્યામાં મહિલા કર્મચારીઓના બહિષ્કારના નિર્ણયથી તંત્ર દોડતું થયું છે.

હાલમાં વહીવટી તંત્ર દ્વારા આ બહેનોને સમજાવવા અને મતદાનમાં સહભાગી કરવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

રતનપર-જોરાવનગર વોર્ડ નં. 10 માં ભાજપના ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન

ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના હસ્તે રિબન કાપી કાર્યાલય ખુલ્લું મુકાયું ભાજપના ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા…

5 hours ago

ચોટીલાના ગુંદામાં પવનચક્કીના કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો; 500 કિલો કોપર સાથે એક તસ્કર ઝડપાયો

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ચોટીલા તાલુકાના ગુંદા ગામની સીમમાં આવેલી પવનચક્કીમાં થયેલી મોટી ચોરીનો ભેદ પોલીસે…

17 hours ago

સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના કર્મચારી સાથે દર્દીએ માથાકૂટ કરી, એકની અટકાયત

સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) ફરજ પરના તબીબો અને સ્ટાફ સાથે ગેરવર્તનની ઘટનાઓમાં ચિંતાજનક વધારો…

17 hours ago

સુરેન્દ્રનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શ્રમયોગીઓ માટે સવેતન રજાની જાહેરાત

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ ના રોજ યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની સામાન્ય…

17 hours ago

સુરેન્દ્રનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો માસ્ટરસ્ટ્રોક: અનેક બેઠકો બિનહરીફ થવાના એંધાણ

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સત્તાવાર મતદાન પૂર્વે જ રાજકીય માહોલ સંપૂર્ણપણે કેસરીયો બની ગયો…

4 days ago

લખતર હાઈવે પર કાળમુખો ટ્રક પદયાત્રીઓ પર ફરી વળ્યો; રાજકોટના શ્રદ્ધાળુઓ સહિત 7 ના કરુણ મોત

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે પર મોડી રાત્રે એક કાળજું કંપાવી દેનારી દુર્ઘટના ઘટી છે. લખતરના…

4 days ago