Sayla Crime News | સાયલા તાલુકાના સેજકપર ગામના શાંતિનગર પરામાં રસ્તે ચાલવા જેવી સામાન્ય બાબતે માથાકૂટ થતાં ચાર શખ્સોએ એક યુવક પર જીવલેણ હુમલો કર્યોે હતો. બનાવ અંગે પોલીસે ચાર શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પથાભાઈ પુંજાભાઈ પરાલીયા પોતાના મોટરસાયકલ પર વાડીએ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં શિફ્ટ કાર અને બાઈક પર આવેલા શીવલભાઈ દાદભાઈ ખવડ, પદુભાઈ દાદભાઈ ખવડ, વિજયભાઈ દાદભાઈ ખવડ અને એક અજાણ્યા શખ્સે તેમને અટકાવ્યા હતા.
આરોપીઓએ લોખંડના પાઈપ, કુહાડી અને લાકડીના ધોકા વડે પથાભાઈ પર તૂટી પડી હાથે-પગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. હુમલાખોરોએ ‘આ જગ્યા અમારા બાપની છે, અહીંથી કેમ ચાલે છે?’ તેમ કહી ગાળો આપી હતી અને ફરીથી અહીં દેખાશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ઇજાગ્રસ્તને પ્રાથમિક સારવાર બાદ સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ ખસેડાયા છે. સાયલા પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે, જોકે હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…