Sayla Crime News | સાયલા તાલુકાના સેજકપર ગામના શાંતિનગર પરામાં રસ્તે ચાલવા જેવી સામાન્ય બાબતે માથાકૂટ થતાં ચાર શખ્સોએ એક યુવક પર જીવલેણ હુમલો કર્યોે હતો. બનાવ અંગે પોલીસે ચાર શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પથાભાઈ પુંજાભાઈ પરાલીયા પોતાના મોટરસાયકલ પર વાડીએ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં શિફ્ટ કાર અને બાઈક પર આવેલા શીવલભાઈ દાદભાઈ ખવડ, પદુભાઈ દાદભાઈ ખવડ, વિજયભાઈ દાદભાઈ ખવડ અને એક અજાણ્યા શખ્સે તેમને અટકાવ્યા હતા.
આરોપીઓએ લોખંડના પાઈપ, કુહાડી અને લાકડીના ધોકા વડે પથાભાઈ પર તૂટી પડી હાથે-પગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. હુમલાખોરોએ ‘આ જગ્યા અમારા બાપની છે, અહીંથી કેમ ચાલે છે?’ તેમ કહી ગાળો આપી હતી અને ફરીથી અહીં દેખાશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ઇજાગ્રસ્તને પ્રાથમિક સારવાર બાદ સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ ખસેડાયા છે. સાયલા પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે, જોકે હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી.
સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ (Dholidhaja Dam) જે સમગ્ર સૌરાષ્ટ્ર માટે પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત છે, તે…
સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Local Body Elections) નો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે…
ચોટીલાના દેવસર (Devsar) ગામે જૂની અદાવતમાં એક યુવક પર જીવલેણ હુમલો (Attack) થયો હોવાનું સામે…
ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના હસ્તે રિબન કાપી કાર્યાલય ખુલ્લું મુકાયું ભાજપના ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા…
સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Body Elections) પૂર્વે…
સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ચોટીલા તાલુકાના ગુંદા ગામની સીમમાં આવેલી પવનચક્કીમાં થયેલી મોટી ચોરીનો ભેદ પોલીસે…