- ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના હસ્તે રિબન કાપી કાર્યાલય ખુલ્લું મુકાયું
- ભાજપના ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા મતદારોનો મક્કમ નિર્ધાર
સુરેન્દ્રનગર: ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે રતનપર-જોરાવનગર વિસ્તારના વોર્ડ નંબર 10માં ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી કાર્યાલયનું વિધિવત રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ રિબન કાપીને કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ દેવાંગભાઈ રાવલ અને ભાજપના અગ્રણી નેતા હિમાંશુ વ્યાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક મતદારો અને ઉત્સાહી કાર્યકરો ઉમટી પડ્યા હતા. મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
ઉપસ્થિત જનમેદનીએ ભાજપના ચારેય ઉમેદવારોને જંગી મતોની સરસાઈથી વિજયી બનાવવા માટે દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.ધારાસભ્ય અને અગ્રણી નેતાઓએ કાર્યકરોને માર્ગદર્શન આપી સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ ઘરે-ઘરે પહોંચાડવા આહવાન કર્યું હતું.
આ કાર્યાલયના પ્રારંભ સાથે જ વોર્ડ નંબર 10 માં ભાજપનો પ્રચાર વેગવંત બન્યો છે અને કાર્યકરોમાં જીતનો વિશ્વાસ જોવા મળી રહ્યો છે.
