Surendranagar

રાજુ કરપડાએ AAPના ત્રણ નેતાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી , જાણો કારણ

Surendranagar News | આમ આદમી પાર્ટી (AAP) માંથી રાજીનામું આપ્યા બાદ રાજુ કરપડા અને પક્ષના નેતાઓ વચ્ચેનો વિવાદ હવે પોલીસ સ્ટેશન (Police Station) સુધી પહોંચ્યો છે. રાજુ કરપડાએ તેમને બદનામ કરવા માટે ટેકનોલોજીનો દુરુપયોગ થયો હોવાનો આક્ષેપ કરી સુરેન્દ્રનગર સાયબર ક્રાઈમ (Cyber Crime)માં ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાને પગલે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

AI ના ઉપયોગથી અવાજ બનાવ્યાનો આક્ષેપ તાજેતરમાં ‘આપ’ દ્વારા એક પત્રકાર પરિષદમાં (Press Conference) રાજુ કરપડાની એક કથિત ઓડિયો ક્લિપ (Audio Clip) જાહેર કરવામાં આવી હતી. આ ક્લિપમાં તેઓ ભાજપમાં જોડાવાની વાતો કરતા હોવાનું સંભળાતું હતું. જોકે, રાજુ કરપડાએ દાવો કર્યો છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (Artificial Intelligence – AI) નો ઉપયોગ કરીને તેમના જેવો જ નકલી અવાજ ઊભો કરવામાં આવ્યો છે.

ત્રણ નેતાઓ સામે ગુનો દાખલ રાજુ કરપડાએ જણાવ્યું કે ખેડૂતોની નજરમાં તેમની છબી ખરાબ કરવા માટે આ કાવતરું (Conspiracy) ઘડાયું છે. સાયબર પોલીસે આ મામલે કરણ બારોટ, વિપુલ ઠાકોર અને સ્વયમભાઈ સાલવી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વાયરલ ક્લિપની સત્યતા તપાસવા માટે તેને ગાંધીનગર ફોરેન્સિક લેબોરેટરી (FSL) માં મોકલવામાં આવશે.

user 2

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

5 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

5 days ago