Surendranagar News | આમ આદમી પાર્ટી (AAP) માંથી રાજીનામું આપ્યા બાદ રાજુ કરપડા અને પક્ષના નેતાઓ વચ્ચેનો વિવાદ હવે પોલીસ સ્ટેશન (Police Station) સુધી પહોંચ્યો છે. રાજુ કરપડાએ તેમને બદનામ કરવા માટે ટેકનોલોજીનો દુરુપયોગ થયો હોવાનો આક્ષેપ કરી સુરેન્દ્રનગર સાયબર ક્રાઈમ (Cyber Crime)માં ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાને પગલે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
AI ના ઉપયોગથી અવાજ બનાવ્યાનો આક્ષેપ તાજેતરમાં ‘આપ’ દ્વારા એક પત્રકાર પરિષદમાં (Press Conference) રાજુ કરપડાની એક કથિત ઓડિયો ક્લિપ (Audio Clip) જાહેર કરવામાં આવી હતી. આ ક્લિપમાં તેઓ ભાજપમાં જોડાવાની વાતો કરતા હોવાનું સંભળાતું હતું. જોકે, રાજુ કરપડાએ દાવો કર્યો છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (Artificial Intelligence – AI) નો ઉપયોગ કરીને તેમના જેવો જ નકલી અવાજ ઊભો કરવામાં આવ્યો છે.
ત્રણ નેતાઓ સામે ગુનો દાખલ રાજુ કરપડાએ જણાવ્યું કે ખેડૂતોની નજરમાં તેમની છબી ખરાબ કરવા માટે આ કાવતરું (Conspiracy) ઘડાયું છે. સાયબર પોલીસે આ મામલે કરણ બારોટ, વિપુલ ઠાકોર અને સ્વયમભાઈ સાલવી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વાયરલ ક્લિપની સત્યતા તપાસવા માટે તેને ગાંધીનગર ફોરેન્સિક લેબોરેટરી (FSL) માં મોકલવામાં આવશે.
ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના હસ્તે રિબન કાપી કાર્યાલય ખુલ્લું મુકાયું ભાજપના ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા…
સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Body Elections) પૂર્વે…
સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ચોટીલા તાલુકાના ગુંદા ગામની સીમમાં આવેલી પવનચક્કીમાં થયેલી મોટી ચોરીનો ભેદ પોલીસે…
સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) ફરજ પરના તબીબો અને સ્ટાફ સાથે ગેરવર્તનની ઘટનાઓમાં ચિંતાજનક વધારો…
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ ના રોજ યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની સામાન્ય…
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સત્તાવાર મતદાન પૂર્વે જ રાજકીય માહોલ સંપૂર્ણપણે કેસરીયો બની ગયો…