થાન તાલુકાના સોનગઢ ગામની સીમમાં દીપડાએ ફરી એકવાર કહેર વર્તાવ્યો છે. વહેલી સવારે દીપડાએ 2 વાછરડા પર હુમલો કરતા 1 વાછરડાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 1 વાછરડાને ગંભીર ઈજાઓ પહોંચી છે.
ઇજાગ્રસ્ત પશુને સારવાર માટે તાત્કાલિક સ્થાનિક પશુ ડોક્ટર પાસે ખસેડવામાં આવ્યું છે. આ ઘટનાને પગલે ગ્રામજનો અને પશુપાલકોમાં વન વિભાગ પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે. આરોપ છે કે વન વિભાગને જાણ કરવા છતાં અધિકારીઓ મોડા પહોંચ્યા હતા.
થાન પંથકમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાનો ભય વધી ગયો છે. અગાઉ 30મી તારીખે જામવાડીમાં એક ગાયનું મારણ થયું હતું, જ્યારે થોડા દિવસ પહેલા સોનગઢમાં જ 8 પશુઓનો શિકાર દીપડાએ કર્યો હતો. અત્યાર સુધીમાં અંદાજે 10થી વધુ પશુઓના મોત થયા હોવા છતાં વન વિભાગ દ્વારા હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.
સ્થાનિકોએ માગ કરી છે કે તંત્ર દ્વારા તાત્કાલિક પાંજરું ગોઠવી દીપડાને પકડવામાં આવે અને પશુપાલકોને થયેલા નુકસાનનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…