થાન તાલુકાના સોનગઢ ગામની સીમમાં દીપડાએ ફરી એકવાર કહેર વર્તાવ્યો છે. વહેલી સવારે દીપડાએ 2 વાછરડા પર હુમલો કરતા 1 વાછરડાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 1 વાછરડાને ગંભીર ઈજાઓ પહોંચી છે.
ઇજાગ્રસ્ત પશુને સારવાર માટે તાત્કાલિક સ્થાનિક પશુ ડોક્ટર પાસે ખસેડવામાં આવ્યું છે. આ ઘટનાને પગલે ગ્રામજનો અને પશુપાલકોમાં વન વિભાગ પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે. આરોપ છે કે વન વિભાગને જાણ કરવા છતાં અધિકારીઓ મોડા પહોંચ્યા હતા.
થાન પંથકમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાનો ભય વધી ગયો છે. અગાઉ 30મી તારીખે જામવાડીમાં એક ગાયનું મારણ થયું હતું, જ્યારે થોડા દિવસ પહેલા સોનગઢમાં જ 8 પશુઓનો શિકાર દીપડાએ કર્યો હતો. અત્યાર સુધીમાં અંદાજે 10થી વધુ પશુઓના મોત થયા હોવા છતાં વન વિભાગ દ્વારા હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.
સ્થાનિકોએ માગ કરી છે કે તંત્ર દ્વારા તાત્કાલિક પાંજરું ગોઠવી દીપડાને પકડવામાં આવે અને પશુપાલકોને થયેલા નુકસાનનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે.
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…