સુરેન્દ્રનગર જિલ્લામાં જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે કૃષિ વિભાગ દ્વારા આ વર્ષે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી છે. જિલ્લાના 578 ગામોમાંથી માટીના નમૂના એકત્ર કરીને અત્યાર સુધીમાં સર્વાધિક 20,230 સોઈલ હેલ્થ કાર્ડ ઇશ્યૂ કરવામાં આવ્યા છે.
ગત વર્ષની સરખામણીએ આ આંકડામાં 8,000નો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. રાસાયણિક ખાતરોના આડેધડ ઉપયોગને કારણે જમીનની ગુણવત્તા પર અસર થઈ રહી છે, ત્યારે ખેડૂતોને તેમની જમીનમાં રહેલા પોષક તત્વોની ચોક્કસ માહિતી મળી રહે તે હેતુથી આ કામગીરી 100% પૂર્ણ કરવામાં આવી છે.
જમીન ચકાસણી પ્રયોગશાળાના લેબ અધિકારી મુસ્તુફા વેકરીયાના જણાવ્યા અનુસાર, ખેતરમાં 15 સેમીનો ખાડો કરી માટીના નમૂના લેવામાં આવે છે. આ હેલ્થ કાર્ડ જમીન માટે ‘એક્સ-રે’ સમાન કાર્ય કરે છે, જેમાં 12 જેટલા મુખ્ય અને સૂક્ષ્મ પોષક તત્વો તેમજ PH લેવલની વિગતો હોય છે. તેના આધારે ખેડૂતોને કયું ખાતર કેટલા પ્રમાણમાં વાપરવું તેની સચોટ વૈજ્ઞાનિક ભલામણ મળે છે.
| તાલુકો | નમૂનાઓની સંખ્યા |
| દસાડા | 3,115 |
| ચોટીલા | 2,905 |
| સાયલા | 2,485 |
| ધ્રાંગધ્રા | 2,275 |
| લીંબડી | 2,100 |
| મુળી | 1,890 |
| વઢવાણ | 1680 |
| લખતર | 1505 |
| ચુડા | 1260 |
| થાનગઢ | 1015 |
ખેડૂતોના જણાવ્યા મુજબ, સોઈલ હેલ્થ કાર્ડના આધારે ખેતી કરવાથી ખાતરના બિનજરૂરી વપરાશમાં 8% થી 10% નો ઘટાડો થયો છે. સામે પક્ષે વૈજ્ઞાનિક પદ્ધતિને કારણે પાક ઉત્પાદનમાં 10% થી 20% સુધીનો વધારો શક્ય બન્યો છે. આમ, સમતોલ ખાતર વ્યવસ્થાપનથી ખેતી ખર્ચ ઘટતા ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે.
ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…
સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…
સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…