સુરેન્દ્રનગર જિલ્લામાં જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે કૃષિ વિભાગ દ્વારા આ વર્ષે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી છે. જિલ્લાના 578 ગામોમાંથી માટીના નમૂના એકત્ર કરીને અત્યાર સુધીમાં સર્વાધિક 20,230 સોઈલ હેલ્થ કાર્ડ ઇશ્યૂ કરવામાં આવ્યા છે.
ગત વર્ષની સરખામણીએ આ આંકડામાં 8,000નો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. રાસાયણિક ખાતરોના આડેધડ ઉપયોગને કારણે જમીનની ગુણવત્તા પર અસર થઈ રહી છે, ત્યારે ખેડૂતોને તેમની જમીનમાં રહેલા પોષક તત્વોની ચોક્કસ માહિતી મળી રહે તે હેતુથી આ કામગીરી 100% પૂર્ણ કરવામાં આવી છે.
જમીન ચકાસણી પ્રયોગશાળાના લેબ અધિકારી મુસ્તુફા વેકરીયાના જણાવ્યા અનુસાર, ખેતરમાં 15 સેમીનો ખાડો કરી માટીના નમૂના લેવામાં આવે છે. આ હેલ્થ કાર્ડ જમીન માટે ‘એક્સ-રે’ સમાન કાર્ય કરે છે, જેમાં 12 જેટલા મુખ્ય અને સૂક્ષ્મ પોષક તત્વો તેમજ PH લેવલની વિગતો હોય છે. તેના આધારે ખેડૂતોને કયું ખાતર કેટલા પ્રમાણમાં વાપરવું તેની સચોટ વૈજ્ઞાનિક ભલામણ મળે છે.
| તાલુકો | નમૂનાઓની સંખ્યા |
| દસાડા | 3,115 |
| ચોટીલા | 2,905 |
| સાયલા | 2,485 |
| ધ્રાંગધ્રા | 2,275 |
| લીંબડી | 2,100 |
| મુળી | 1,890 |
| વઢવાણ | 1680 |
| લખતર | 1505 |
| ચુડા | 1260 |
| થાનગઢ | 1015 |
ખેડૂતોના જણાવ્યા મુજબ, સોઈલ હેલ્થ કાર્ડના આધારે ખેતી કરવાથી ખાતરના બિનજરૂરી વપરાશમાં 8% થી 10% નો ઘટાડો થયો છે. સામે પક્ષે વૈજ્ઞાનિક પદ્ધતિને કારણે પાક ઉત્પાદનમાં 10% થી 20% સુધીનો વધારો શક્ય બન્યો છે. આમ, સમતોલ ખાતર વ્યવસ્થાપનથી ખેતી ખર્ચ ઘટતા ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…