Limbdi

લીંબડી: પઠાણી ઉઘરાણી મામલે જીરાના વેપારીએ દવા પી લઈ અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો

લીંબડી તાલુકાના બોરણા ગામે જીરા લે વેચના વેપારીએ જીરા અને ખરીદી કર્યા બાદ ભાવ ઘટી જતા દેણા માં આવી ગયો..

વ્યાજે રૂપિયા લીધા અને પોતાની તમામ મિલકતનું વેચાણ કરી નાખ્યું તે છતાં પણ તેનું ન ભરાતા અંતે ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો કર્યો પ્રયાસ..

18 લોકો નો સતત ત્રાસ હોવાનો પણ પોલીસ સમક્ષ રજૂઆત દરમિયાન કર્યો ઉલ્લેખ..

ખેડૂતની ભાષામાં જીરું એક જુગાર છે વાવેતર સમયે પણ અને ત્યારબાદ ઉત્પાદન પછી પણ પૂરતા ભાવ મળે કે ન મળે તે એક ખેડૂતોના મનમાં કાયમ માટે સવાલ રહેતો હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના બોરણા ગામના જીરાના વેપારીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે લીંબડી ગામના બોરણા માં વસવાટ કરતાં કોષીયા રમેશભાઇ નામના જીરાના વેપારીએ ઝેરી દવા પી લઈ અને જીવન ટુંકવવાનો પ્રયાસ કર્યો છે જોકે તેમને હાલ સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને ત્યાં તેની સારવાર શરૂ કરવામાં આવી છે.

ઊંચા ભાવે જીરાની ખરીદી કર્યા બાદ જીરા નું બજાર બેસી ગયું અને વેપારીને ન છૂટકે નીચા ભાવે જીરાનું વેચાણ કરવું પડ્યું જેને લઇને બોરણા ગામના વેપારીને દેવું થઈ ગયું દેવુ ભરવા માટે વેપારી દ્વારા 06 ઈસમો પાસેથી ઉછીતા નાણાં લેવામાં આવ્યા અને તે છતાં પણ દેવાનું ન ભરાયું વેપારી દ્વારા સાત ઇસમો પાસેથી અંદાજિત 17 લાખથી વધુની રકમ ઉછીતી લેવામાં આવી પરંતુ તે છતાં પણ ન ભરાતા પોતાની વારસાઈમાં મળેલી મિલકત પણ વેચાણ કરી અને દેણું ભરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે છતાં પણ તેનું ન ભરાતા અંતે ઝેરી દવા પી લઈ અને હાથમાં હત્યાનો પ્રયાસ કર્યો છે.

ખેડૂતો પાસેથી મોંઘી કિંમતમાં જીરાની ખરીદી કરી લેવામાં આવી હતી ત્યારબાદ અચાનક જીરાની બજાર ગગડી જતા બેણું થઈ ગયા હોવાનું સામે આવ્યું છે વેપારી દ્વારા 30.80 લાખની ચુકવણી કરી દેવામાં આવી હોવાનો ઉલ્લેખ પોલીસ સમક્ષ કરેલી અરજીમાં કરવામાં આવ્યો છે વેપારી છેલ્લા છ મહિનાથી અલગ અલગ વિસ્તારમાં સંતાઈ અને રહેતો હતો અંતે કંટાળી જઈ અને ઝેરી દવા પીવાનું પગલું ભર્યું છે અને પઠાણી ઉઘરાણીથી કંટાળી જઇ પોલીસ સમક્ષ 18 લોકોના નામો આપવામાં આવ્યા છે જેમાં 11 જેટલા ખેડૂતો હોવાનું પણ સામે આવ્યું છે.

હાલમાં આ સંદર્ભે પોલીસ વિભાગ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે જામડી વસ્તડી તેમજ અલગ અલગ વિસ્તારમાં વસવાટ કરતા લોકો પાસેથી રૂપિયા ઉછીતા લેવામાં આવ્યા હતા કોઈ પાસેથી જીરુ ખરીદી કરવામાં આવ્યું હતું અને પૈસા ચૂકવવા માટે વેપારી અસમર્થ નિવડ્યો હતો અને અંતે કંટાળી જઈ અને પઠાણી ઉઘરાણીના ત્રાસથી તેણે દવા પી લે અને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે.

◆ વેપારી દ્વારા 18 લોકો સામે ફરિયાદ દાખલ કરવા લેખિત અરજી કરવામાં આવી જેમાં 06 ઇસમો પાસેથી ઉછીના રૂપિયા લેવામાં આવ્યા તે છતાં પણ ન ભરાયુ દેવું

લીમડી તાલુકાના બોરણા ગામે વસવાટ કરતા રમેશ કોશિયા દ્વારા ઝેરી દવા પી લે અને આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેમાં બળવતસંગ ગોહિલ રાઠોડ રાજેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ પરમાર મહિપતસિંહ મનુભા સિંધવ રાજુભાઈ ગેલાભાઈ ભોચિયા હકાભાઇ દેવાભાઈ લોલાડીયા ચંદુભાઈ લક્ષ્મણભાઈ પાસેથી હાથ ઉંચીતા રૂપિયા લેવામાં આવ્યા હતા 17 લાખથી વધુ ની રકમ હાથ ઊંચેથી લેવામાં આવી તે છતાં પણ દેવું ન ભરાતા અંતે દવા પી લેવામાં આવી છે ત્યારે રાઠોડ દિલીપસિંહ સિંધવ રાજુભાઈ સિંધવ ભીખુભાઈ ગોહિલ પ્રવીણભાઈ ગોહિલ લાલુભાઈ ઘાઘરેટીયા દિનેશભાઈ લોલડીયા ધર્મેન્દ્રભાઈ લોલડીયા ગણપતભાઈ ભોચિયા આકાશભાઈ રાઠોડ મહેન્દ્રભાઈ ગળથરા રમેશભાઈ અને ગોહિલ ભીખુભાઈ ના નામ લખી અને ઝેરી દવા પી લઈ અને આત્મ હત્યાના પ્રયાસ કર્યો છે હાલ પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે

jeet

Recent Posts

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી

લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…

2 weeks ago

ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા

ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…

2 weeks ago

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…

2 weeks ago

ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર

ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…

2 weeks ago

સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…

2 weeks ago

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ

સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…

2 weeks ago