Dhrangadhra

સોલડી – બાઈસાબગઢ રોડ પરથી પથ્થરનું ગેરકાયદેસર ખનન ઝડપાયું.

સોલડી – બાઈસાબગઢ રોડ પરથી પથ્થરનું ગેરકાયદેસર ખનન ઝડપાયું.

પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમ દ્વારા ખનન પર દરોડા કરી 45 લાખની ક્રેન ઝપ્ત કરાઇ

 ધ્રાંગધ્રા પંથકમાં રેતી અને પથ્થરનું ખનન ખુલ્લેઆમ થઈ રહ્યું છે ત્યારે પ્રાંત અધિકારી અને મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા સોલડી – બાઈસાબગઢ રોડ પરથી ગેરકાયદેસર પથ્થરનું ખનન ઝડપી પાડ્યું હતું. ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય, ઈનચાર્જ મામલતદાર એચ.આર.પઢિયાર સહિતની ટીમને સોલડી બાઈસાબગઢ રોડ પર પથ્થરનું ખનન થતું હોવાની જાણ થતા જ દરોડો કરતા ખનિજ માફિયાઓના નાસભાગ મચી ગઈ હતી આ તરફ પથ્થરની ખાણ પરથી એક ક્રેન કિંમત ૪૫ લાખ રૂપિયાની જપ્ત કરી આગળની કામગીરી અને જમીન માપણી માટે સુરેન્દ્રનગર ખાણ ખનિજ વિભાગને સોંપી કાર્યવાહી હાથ ધરી હતી. આ તરફ પ્રાંત અધિકારી દ્વારા અગાઉ પણ ગેરકાયદેસર ખનન અને iખનિજ હેરફેર કરતા વાહનોને જપ્ત કરવાના આવ્યા હતા આ ગેરકાયદેસર ખનન કેટલા સમયથી ચાલુ હતુ એની તપાસ હાથ ધરાઇ છે વધુ એક વખત પથ્થરના ગેરકાયદેસર ખનન પર દરોડો કરતા ખનિજ માફિયાઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

jeet

Recent Posts

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી

લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…

2 weeks ago

ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા

ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…

2 weeks ago

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…

2 weeks ago

ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર

ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…

2 weeks ago

સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…

2 weeks ago

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ

સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…

2 weeks ago