સુરેન્દ્રનગર: ધોળી ધજા ડેમની સફાઈનો અભાવ, પીવાના પાણીની ગુણવત્તા જોખમમાં!
લાખો લોકોને પીવાનુ પાણી પહોચાડતા પમ્પિંગ સ્ટેશન પર કચરાના અને સેવાળના થર જામ્યા
આ પાણીથી લોકોના સ્વાસ્થ્ય પર થસે સીધી અસર સુરેન્દ્રનગર વઢવાણ રતનપર જોરાવરનગર સહિત સમગ્ર શહેરી વિસ્તારને પીવાનું પાણી પૂરું પાડતા ધોળી ધજા ડેમમાં સફાઈનો ગંભીર અભાવ જોવા મળ્યો છે, જેના કારણે શહેરીજનોના સ્વાસ્થ્ય અને ગંભીર બીમારીઓ ફેલાવવાનો ભય દેખાય રહ્યો છે
સુરેન્દ્રનગર શહેરીજનોને પીવાનુ પાણી પોહચાડતુ ધોળીધજા પમ્પિંગ સ્ટેશન પાસે સેવાળનો કબજો કચરાના થર અને ડેમમાં ઠેર ઠેર સેવાળનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, ખાસ કરીને પાણીના મુખ્ય સ્ત્રોત એવા પમ્પિંગ સ્ટેશન નજીક સફાઈનો અભાવ સ્પષ્ટપણે દેખાઈ આવે છે. આ સેવાળ અને કચરાના કારણે અવારનવાર પમ્પિંગ સ્ટેશનની મોટરોમાં તે ફસાઈ જાય છે, જેના પરિણામે સમગ્ર પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જાય છે.
વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જવાથી શહેરીજનોને પીવાના પાણીની તીવ્ર સમસ્યાનો સામનો કરવો પડે છે. એક તરફ શુદ્ધ પાણી મળતું નથી અને બીજી તરફ પાણી પુરવઠો પણ અનિયમિત બને છે. ડેમના પાણીમાં વધતા સેવાળના કારણે પાણીની ગુણવત્તા પર પણ સવાલો ઉભા થયા છે, જે રોગચાળાને નોતરી શકે છે.
શહેરમાં એક તરફ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે, ત્યારે લોકોની પ્રબળ માંગ ઉઠી છે કે, જ્યાંથી લાખો લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે, તેવા ધોળી ધજા ડેમના પાણીમાં તાત્કાલિક ધોરણે સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવે.
સ્થાનિકો માની રહ્યા છે કે મનપા અને સંબંધિત તંત્રએ આ ગંભીર સમસ્યાને પ્રાથમિકતા આપીને ડેમની સફાઈ અને પમ્પિંગ સ્ટેશનની આસપાસના વિસ્તારને નિયમિતપણે સ્વચ્છ રાખવા માટે નક્કર પગલાં લેવા જોઈએ, જેથી સુરેન્દ્રનગર-વઢવાણના લોકોને શુદ્ધ અને નિયમિત પીવાનું પાણી મળી રહે. જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય, તો આગામી સમયમાં પીવાના પાણીની સમસ્યા વધુ વિકરાળ બની શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…