ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની પ્રદેશ ભાજપની મહત્વની સંકલન સમિતિ (કોર કમિટી) માં નિમણૂક કરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ જવાબદારી મળતા કાર્યકરો અને વિવિધ સમાજમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ નિમણૂકને વધાવવા માટે ધ્રાંગધ્રા દરજી સમાજના અગ્રણીઓ દ્વારા વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ધ્રાંગધ્રા દરજી સમાજના આગેવાનોએ પૂર્વ મંત્રી આઇ.કે. જાડેજાના નિવાસસ્થાને રૂબરૂ મુલાકાત લીધી હતી.
સમાજના પ્રતિનિધિઓએ તેમને પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે દરજી સમાજના પ્રમુખ કિશોરભાઈ ચૌહાણ, ટ્રસ્ટી દીપકભાઈ સેડલીયા અને રવિભાઈ વાઘેલા સહિત મોટી સંખ્યામાં સમાજના યુવાનો અને વડીલો હાજર રહ્યા હતા. ભાજપ સંગઠનમાં પૂર્વ મંત્રીના અનુભવનો લાભ લેવા માટે કરાયેલી આ વરણીને સૌએ આવકારી હતી.
વઢવાણ તાલુકાના કોઠારીયા ગામ ખાતે પૂજ્ય વજાભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું…
સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે આરટીઓ (RTO) તંત્ર દ્વારા આક્રમક…
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને અનુલક્ષીને મહત્વનું જાહેરનામું…
ભાજપ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી નગરપાલિકામાં સત્તા મેળવશે પાલિકાઓમાં 30 ટકાથી વધુ જૂના કોર્પોરેટરોને ટિકિટ…
સુરેન્દ્રનગરના જોરાવરનગર પોલીસે રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર ટ્રાન્સપોર્ટ ટેન્કરમાં છુપાવેલું દારૂનું મોટું નેટવર્ક ઝડપી પાડયું…