Categories: Uncategorized

સુરેન્દ્રનગરમાં સરકારી એસટી બસોએ જ નિયમો નેવે મુક્યા

સુરેન્દ્રનગર થી કોટડા જતી એસટી બસમાં મૂળ ક્ષમતા કરતા ડબલ પેસેન્જર ભરવામાં આવ્યા..

સાંજના સમયે કોટડા જવા માટે એક માત્ર એસટી બસ હોવાના કારણે ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર..

સલામત સવારી એસટી બસ હમારી ના સ્લોગન એસટી બસો ઉપર લગાવવામાં આવતા હોય છે પરંતુ સુરેન્દ્રનગરમાં એસટી બસો સતત વિવાદમાં રહેતી હોય છે ત્યારે ખાસ કરીને પેસેન્જરની સંખ્યામાં બિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે તેની સામે જેટલા પ્રમાણમાં જોઈએ તેટલી બસો એસટી નિગમ દ્વારા સુરેન્દ્રનગર એસટી ડેપોને આપવામાં આવી રહી નથી જેને લઈને ગ્રામીણ વિસ્તારોમાં દિવસભરમાં એકમાત્ર બસ જતી હોય છે અને જિલ્લાના આને કેવા ગામડાઓ છે જ્યાં આખો દિવસ એક પણ એસટી બસ નથી જઈ રહી.

ત્યારે સાંજના સમયે કોટડા ગામ તરફ જતી એકમાત્ર એસટી બસમાં મૂળ કેપેસિટી થી ડબલ પેસેન્જરોને ભરવામાં આવ્યા છે સાંજના સમયે એકમાત્ર બસ કોટડા તરફ જતી હોવાના કારણે અપડાઉન કરતા વિદ્યાર્થીઓ નોકરીયાત વર્ગ આ બસમાં બેસી અને મુસાફરી કરતા હોય છે ત્યારે એક બસમાં અંદાજિત 100 થી વધુ મુસાફરોને ભરવામાં આવ્યા છે ઓવરલોડ એસટી બસ જ ચાલી રહી છે.

એસટી બસ ચલાવતા ડ્રાઇવરોની કેબિનમાં પણ મજબૂરીના પગલે પેસેન્જરને બેસાડવામાં આવી રહ્યા છે એકમાત્ર કોટડા તરફ જતી એસટી બસ સાંજના સમયે હોવાના કારણે ઘસારો વધુ પડતો જોવા મળી રહ્યો છે તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે નહીંતર મોટો અકસ્માત સર્જાશે અને અનેક પેસેન્જરને જાનહાનિ થશે અને મોટી દુર્ઘટના સર્જાવાના પણ એંધાણ હાલ વર્તાઈ રહ્યા છે.

બીજી તરફ પેસેન્જરની કેપેસિટી કરતા વધુ પેસેન્જર એસટી બસોમાં બેસાડવામાં આવતા સરકારી નિયમો એસટી વિભાગ નિયમો નેવે મુક્તા હોય તેવો પણ સુરેન્દ્રનગર જિલ્લામાં ઘાટ સર્જાઈ જવા પામ્યો છે..

jeet

Recent Posts

રતનપર-જોરાવનગર વોર્ડ નં. 10 માં ભાજપના ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન

ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના હસ્તે રિબન કાપી કાર્યાલય ખુલ્લું મુકાયું ભાજપના ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા…

14 hours ago

સુરેન્દ્રનગર: 2710 આંગણવાડી વર્કર બહેનોએ આપી મતદાન બહિષ્કારની ચીમકી; પડતર પ્રશ્નો મુદ્દે સરકાર સામે રોષ

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Body Elections) પૂર્વે…

1 day ago

ચોટીલાના ગુંદામાં પવનચક્કીના કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો; 500 કિલો કોપર સાથે એક તસ્કર ઝડપાયો

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ચોટીલા તાલુકાના ગુંદા ગામની સીમમાં આવેલી પવનચક્કીમાં થયેલી મોટી ચોરીનો ભેદ પોલીસે…

1 day ago

સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના કર્મચારી સાથે દર્દીએ માથાકૂટ કરી, એકની અટકાયત

સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) ફરજ પરના તબીબો અને સ્ટાફ સાથે ગેરવર્તનની ઘટનાઓમાં ચિંતાજનક વધારો…

1 day ago

સુરેન્દ્રનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શ્રમયોગીઓ માટે સવેતન રજાની જાહેરાત

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ ના રોજ યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની સામાન્ય…

1 day ago

સુરેન્દ્રનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો માસ્ટરસ્ટ્રોક: અનેક બેઠકો બિનહરીફ થવાના એંધાણ

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સત્તાવાર મતદાન પૂર્વે જ રાજકીય માહોલ સંપૂર્ણપણે કેસરીયો બની ગયો…

5 days ago