Categories: Patdi

દસાડાના ધારાસભ્ય અને અગરિયાએ મુખ્યમંત્રીને વાવાઝોડાથી થયેલ નુકસાનના વળતર માટે માંગ કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓની વ્હારે સ્થાનિક ધારાસભ્ય અને અગરિયા આગેવાનો આવ્યા છે. તાજેતરમાં આવેલા કમોસમી વરસાદ અને મિની વાવાઝોડાએ અગરિયાઓના તૈયાર મીઠાના પાક, ઘરવખરી અને ઝૂંપડાઓને ભારે નુકસાન પહોંચાડ્યું છે.

આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈ ધારાસભ્ય પી.કે. પરમાર અને અગરિયા આગેવાનોએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રૂબરૂ મુલાકાત લીધી હતી અને અસરગ્રસ્તોને ન્યાય અપાવવા રજૂઆત કરી હતી.

ધારાસભ્યએ માંગ કરી હતી કે, જે રીતે ખેડૂતોને પાક નુકસાની માટે 44,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, તેવી જ રીતે કુદરતી આફતનો ભોગ બનેલા અગરિયાઓને પણ વળતર ચૂકવવું જોઈએ. આ માટે અંદાજે 220 કરોડ રૂપિયાનું ખાસ પેકેજ જાહેર કરવાની માંગણી પણ કરવામાં આવી છે.

અગાઉના ‘તાઉતે’ વાવાઝોડા વખતે માત્ર 10% અગરિયાઓને જ સહાય મળી હોવાથી, આ વખતે તમામ જરૂરિયાતમંદ પરિવારોને ન્યાય મળે તેવો આગ્રહ રખાયો હતો. મુખ્યમંત્રીએ આ રજૂઆતને ધ્યાનપૂર્વક સાંભળી યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી આપી છે.

user 2

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

5 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

6 days ago