Categories: Patdi

દસાડાના ધારાસભ્ય અને અગરિયાએ મુખ્યમંત્રીને વાવાઝોડાથી થયેલ નુકસાનના વળતર માટે માંગ કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓની વ્હારે સ્થાનિક ધારાસભ્ય અને અગરિયા આગેવાનો આવ્યા છે. તાજેતરમાં આવેલા કમોસમી વરસાદ અને મિની વાવાઝોડાએ અગરિયાઓના તૈયાર મીઠાના પાક, ઘરવખરી અને ઝૂંપડાઓને ભારે નુકસાન પહોંચાડ્યું છે.

આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈ ધારાસભ્ય પી.કે. પરમાર અને અગરિયા આગેવાનોએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રૂબરૂ મુલાકાત લીધી હતી અને અસરગ્રસ્તોને ન્યાય અપાવવા રજૂઆત કરી હતી.

ધારાસભ્યએ માંગ કરી હતી કે, જે રીતે ખેડૂતોને પાક નુકસાની માટે 44,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, તેવી જ રીતે કુદરતી આફતનો ભોગ બનેલા અગરિયાઓને પણ વળતર ચૂકવવું જોઈએ. આ માટે અંદાજે 220 કરોડ રૂપિયાનું ખાસ પેકેજ જાહેર કરવાની માંગણી પણ કરવામાં આવી છે.

અગાઉના ‘તાઉતે’ વાવાઝોડા વખતે માત્ર 10% અગરિયાઓને જ સહાય મળી હોવાથી, આ વખતે તમામ જરૂરિયાતમંદ પરિવારોને ન્યાય મળે તેવો આગ્રહ રખાયો હતો. મુખ્યમંત્રીએ આ રજૂઆતને ધ્યાનપૂર્વક સાંભળી યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી આપી છે.

user 2

Recent Posts

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…

5 days ago

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

​ ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી ​ સરકારી શાળામાં…

6 days ago

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…

6 days ago

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…

1 week ago

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…

1 week ago

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…

1 week ago