સુરેન્દ્રનગરના વઢવાણ 80 ફૂટ રોડ પર હેર કટિંગ સલૂન ચલાવતા રવિનભાઈ જાદવ અને તેમની ટીમે 23 માર્ચ – શહીદ દિવસ નિમિત્તે માનવતા અને દેશભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આર્મીમાં જવાની ઈચ્છા ધરાવતા રવિનભાઈ સંજોગોવશાત જોડાઈ શક્યા ન હતા, પરંતુ તેમણે દેશના વીર જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે છેલ્લા 08 વર્ષથી એક અનોખો સંકલ્પ લીધો છે.
દર વર્ષે શહીદ દિવસે તેમના સલૂનમાં હેર કટિંગ અને શેવિંગ દ્વારા થતી તમામ આવક તેઓ શહીદ પરિવારોના કલ્યાણ માટે દાનમાં આપે છે.
ચાલુ વર્ષે પણ રવિનભાઈ અને તેમના 15 મિત્રોની ટીમે સવારથી સાંજ સુધી સખત મહેનત કરી જે રકમ એકઠી થઈ તે શહીદ ફંડમાં અર્પણ કરી છે.
અત્યાર સુધીમાં તેઓ આ રીતે આશરે 1.5 થી 2 લાખ રૂપિયાની સહાય કરી ચૂક્યા છે. આ ઉમદા કાર્યમાં સ્થાનિક યુવાનો, નિવૃત્ત આર્મી જવાનો અને શહેરીજનોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને હેર કટિંગ કરાવીને પોતાની યથાશક્તિ રકમ દાનમાં આપી હતી. શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને અંજલિ આપવાની આ અનોખી રીતને સમગ્ર પંથકમાં બિરદાવવામાં આવી રહી છે.
ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…
સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…
સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…