સુરેન્દ્રનગરના વઢવાણ 80 ફૂટ રોડ પર હેર કટિંગ સલૂન ચલાવતા રવિનભાઈ જાદવ અને તેમની ટીમે 23 માર્ચ – શહીદ દિવસ નિમિત્તે માનવતા અને દેશભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આર્મીમાં જવાની ઈચ્છા ધરાવતા રવિનભાઈ સંજોગોવશાત જોડાઈ શક્યા ન હતા, પરંતુ તેમણે દેશના વીર જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે છેલ્લા 08 વર્ષથી એક અનોખો સંકલ્પ લીધો છે.
દર વર્ષે શહીદ દિવસે તેમના સલૂનમાં હેર કટિંગ અને શેવિંગ દ્વારા થતી તમામ આવક તેઓ શહીદ પરિવારોના કલ્યાણ માટે દાનમાં આપે છે.
ચાલુ વર્ષે પણ રવિનભાઈ અને તેમના 15 મિત્રોની ટીમે સવારથી સાંજ સુધી સખત મહેનત કરી જે રકમ એકઠી થઈ તે શહીદ ફંડમાં અર્પણ કરી છે.
અત્યાર સુધીમાં તેઓ આ રીતે આશરે 1.5 થી 2 લાખ રૂપિયાની સહાય કરી ચૂક્યા છે. આ ઉમદા કાર્યમાં સ્થાનિક યુવાનો, નિવૃત્ત આર્મી જવાનો અને શહેરીજનોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને હેર કટિંગ કરાવીને પોતાની યથાશક્તિ રકમ દાનમાં આપી હતી. શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને અંજલિ આપવાની આ અનોખી રીતને સમગ્ર પંથકમાં બિરદાવવામાં આવી રહી છે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…