સુરેન્દ્રનગરના વઢવાણ 80 ફૂટ રોડ પર હેર કટિંગ સલૂન ચલાવતા રવિનભાઈ જાદવ અને તેમની ટીમે 23 માર્ચ – શહીદ દિવસ નિમિત્તે માનવતા અને દેશભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આર્મીમાં જવાની ઈચ્છા ધરાવતા રવિનભાઈ સંજોગોવશાત જોડાઈ શક્યા ન હતા, પરંતુ તેમણે દેશના વીર જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે છેલ્લા 08 વર્ષથી એક અનોખો સંકલ્પ લીધો છે.
દર વર્ષે શહીદ દિવસે તેમના સલૂનમાં હેર કટિંગ અને શેવિંગ દ્વારા થતી તમામ આવક તેઓ શહીદ પરિવારોના કલ્યાણ માટે દાનમાં આપે છે.
ચાલુ વર્ષે પણ રવિનભાઈ અને તેમના 15 મિત્રોની ટીમે સવારથી સાંજ સુધી સખત મહેનત કરી જે રકમ એકઠી થઈ તે શહીદ ફંડમાં અર્પણ કરી છે.
અત્યાર સુધીમાં તેઓ આ રીતે આશરે 1.5 થી 2 લાખ રૂપિયાની સહાય કરી ચૂક્યા છે. આ ઉમદા કાર્યમાં સ્થાનિક યુવાનો, નિવૃત્ત આર્મી જવાનો અને શહેરીજનોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને હેર કટિંગ કરાવીને પોતાની યથાશક્તિ રકમ દાનમાં આપી હતી. શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને અંજલિ આપવાની આ અનોખી રીતને સમગ્ર પંથકમાં બિરદાવવામાં આવી રહી છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…