Chotila

ચોટીલાના શેખાલીયા ગામની પાણીની સમસ્યા ઉકેલાશે: તળાવના વેસ્ટ વીઅરની ઊંચાઈ વધારવામાં આવશે

ચોટીલા: ચોટીલા તાલુકાના છેક છેવાડે અને રાજકોટ જિલ્લાની સરહદ પર આવેલા શેખાલીયા ગામના ખેડૂતોની વર્ષો જૂની પાણી સંગ્રહની સમસ્યાના ઉકેલ માટે વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે. ચોટીલાના નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ. ટી. મકવાણા દ્વારા સેખલીયા ગામના તળાવની રૂબરૂ સ્થળ મુલાકાત લેવામાં આવી હતી.

ગામના ખેડૂતો દ્વારા લાંબા સમયથી તળાવના વેસ્ટ વીઅર (Waste Weir) ની ઊંચાઈ વધારવાની માંગ કરવામાં આવી રહી હતી જેથી કરીને ચોમાસા દરમિયાન વધુ પાણીનો સંગ્રહ થઈ શકે.

જો તળાવના વેસ્ટ વીઅરને અંદાજે 2 મીટર ઊંચો કરવામાં આવે તો આસપાસના મોટી સંખ્યામાં ખેડૂતોને સિંચાઈ માટે લાંબા સમય સુધી પાણી ઉપલબ્ધ રહેશે, જેના કારણે કૃષિ ઉત્પાદન અને ભૂગર્ભ જળસ્તરમાં પણ સારો એવો વધારો થશે.

નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાએ સ્થળ પર તળાવની હાલની સ્થિતિનું બારીકાઈથી નિરીક્ષણ કરી સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો.

આ પ્રશ્નના ત્વરિત નિરાકરણ માટે તેમણે સ્થળ પરથી જ પંચાયતના સિંચાઈ વિભાગના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર (DE) સાથે ટેલિફોનિક ચર્ચા કરીને તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

સિંચાઈ વિભાગના અધિકારીએ આ કામગીરીને ગંભીરતાથી લઈ 1 મહિનાની અંદર વેસ્ટ વીઅરને 2 મીટર ઊંચો કરવાનું કામ પૂર્ણ કરવાની ખાતરી આપી છે. આ કામ પૂરું થતાં જ સેખલીયા ગામના ખેડૂતોની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…

5 days ago

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

​ ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી ​ સરકારી શાળામાં…

6 days ago

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…

6 days ago

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…

1 week ago

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…

1 week ago

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…

1 week ago