Surendranagar

સુરેન્દ્રનગરના ઇતિહાસમાં પ્રથમવાર હથિયારો વિના મોહરમની શાંતિપૂર્ણ ઉજવણી

Surendranagar Moharram Celebration : સુરેન્દ્રનગર જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ પણ પ્રકારના જોખમી હથિયારો વિના મોહરમ પર્વની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી છે.

જિલ્લા પોલીસ વડા (SP) પ્રેમસુખ ડેલૂના આદેશ અને ગાઈડલાઈનનું આયોજકો દ્વારા સંપુર્ણ પાલન કરવામાં આવ્યું હતું. તલવાર, છરી, ખંજર, બ્લેડ અને ટ્યુબલાઈટ જેવા જોખમી સાધનો પર પ્રતિબંધ હોવાને કારણે મુસ્લિમ બિરાદરોએ માત્ર ધોકા અને લાકડીઓથી પરંપરાગત કરતબો અને અખાડા રજૂ કર્યા હતા.

આ ઉપરાંત, તાજીયાના જુલૂસ દરમિયાન ડીજે (DJ) નો ઉપયોગ ટાળીને માત્ર માતમ અને ધાર્મિક રીત-રિવાજો સાથે શોક પ્રગટ કરાયો હતો. જિલ્લાના તમામ 66 સ્થળો પર LCB, SOG અને સ્થાનિક પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે એસપી પોતે બજારમાં લોકો વચ્ચે સુરક્ષા વ્યવસ્થામાં જોડાયા હતા.

વઢવાણમાં હિન્દુ પરિવારે તાજીયા બનાવી કોમી એકતા દર્શાવી બીજી તરફ, વઢવાણમાં કોમી એકતાની 200 વર્ષ જૂની પરંપરા આ વર્ષે પણ અકબંધ જોવા મળી હતી. અહીં મકવાણા પરિવારની 7 પેઢીથી હિન્દુ પરિવાર દ્વારા માતાજીના મઢમાં પરંપરાગત રીતે ‘જુલ્ફીકાર’ તાજીયા બનાવવામાં આવે છે, જેમાં મુસ્લિમ પરિવારો પણ આદરભેર જોડાય છે. આ અનોખા તાજીયાના દર્શન કરવા માટે ચાલુ વર્ષે અમદાવાદ, જામનગર, રાજકોટ અને સુરત સહિતના અન્ય જિલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને ભાઈચારાની અનોખી મિસાલ કાયમ કરી હતી.

surendranagarupdate1@gmail.com

Recent Posts

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…

5 days ago

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

​ ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી ​ સરકારી શાળામાં…

6 days ago

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…

6 days ago

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…

1 week ago

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…

1 week ago

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…

1 week ago