Categories: Surendranagar

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા: ભગીરથસિંહ ઝાલાએ સ્વર્ણિમ જયંતી સમિતિના ચેરમેન તરીકેનો ચાર્જ સંભાળ્યો

Surendranagar News | સુરેન્દ્રનગર મહાનગરપાલિકા (SNMC)માં ભગીરથસિંહ ઝાલાએ (Bhagirathsinh Jhala) ‘સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ સમિતિ’ ના (Svarnim Jayanti Mukhyamantri Shahri Vikas Samiti) ચેરમેન તરીકે વિધિવત ચાર્જ સંભાળી લીધો છે.

વોર્ડ નંબર 1 માંથી સતત 2 જી વખત વિજેતા બનેલા ભગીરથસિંહ ઝાલાએ ચેરમેનનો હોદ્દો સંભાળતા પહેલા પોતાના સ્વર્ગસ્થ પિતા સ્વ. જશુભા ઝાલાને (Jasubha Jhala) ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર નગરપાલિકામાં સતત 6 વખત જીત મેળવીને પ્રજાહિતના કાર્યો કરનાર અને અપક્ષ, કોંગ્રેસ (Congress) તથા ભાજપમાંથી (BJP) સતત 7 વખત વિજયી બની નગરપાલિકા પ્રમુખ તરીકે સેવા આપનાર સ્વ. જશુભા ઝાલાના પુત્ર ભગીરથસિંહ ઝાલા હવે મહાનગરપાલિકામાં ભવ્ય વિજય મેળવીને ચેરમેન બન્યા છે.

તેમના ચેરમેન બનવાથી સુરેન્દ્રનગરના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે આનંદની લહેર ફરી વળી છે. હોદ્દો સંભાળતી વખતે વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, સ્થાનિક મતદારો, સ્વજનો અને મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા અને તેમને પુષ્પગુચ્છ આપીને ઉત્સાહભેર શુભેચ્છાઓ પાઠવી હતી.

surendranagarupdate1@gmail.com

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

5 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

5 days ago