Surendranagar News | સુરેન્દ્રનગર મહાનગરપાલિકા (SNMC)માં ભગીરથસિંહ ઝાલાએ (Bhagirathsinh Jhala) ‘સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ સમિતિ’ ના (Svarnim Jayanti Mukhyamantri Shahri Vikas Samiti) ચેરમેન તરીકે વિધિવત ચાર્જ સંભાળી લીધો છે.
વોર્ડ નંબર 1 માંથી સતત 2 જી વખત વિજેતા બનેલા ભગીરથસિંહ ઝાલાએ ચેરમેનનો હોદ્દો સંભાળતા પહેલા પોતાના સ્વર્ગસ્થ પિતા સ્વ. જશુભા ઝાલાને (Jasubha Jhala) ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર નગરપાલિકામાં સતત 6 વખત જીત મેળવીને પ્રજાહિતના કાર્યો કરનાર અને અપક્ષ, કોંગ્રેસ (Congress) તથા ભાજપમાંથી (BJP) સતત 7 વખત વિજયી બની નગરપાલિકા પ્રમુખ તરીકે સેવા આપનાર સ્વ. જશુભા ઝાલાના પુત્ર ભગીરથસિંહ ઝાલા હવે મહાનગરપાલિકામાં ભવ્ય વિજય મેળવીને ચેરમેન બન્યા છે.
તેમના ચેરમેન બનવાથી સુરેન્દ્રનગરના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે આનંદની લહેર ફરી વળી છે. હોદ્દો સંભાળતી વખતે વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, સ્થાનિક મતદારો, સ્વજનો અને મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા અને તેમને પુષ્પગુચ્છ આપીને ઉત્સાહભેર શુભેચ્છાઓ પાઠવી હતી.
