Surendranagar

વઢવાણના સંત રોહિદાસ મંદિરે મેગા મેડિકલ કેમ્પ: 500થી વધુ દર્દીઓની આંખ અને એનિમિયાની તપાસ

Wadhwan Medical Camp | સુરેન્દ્રનગર જિલ્લામાં રોટરી ક્લબ (Rotary club) અને શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ દ્વારા ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં આરોગ્યલક્ષી સેવાઓ પહોંચાડવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

સંસ્થાઓ દ્વારા અત્યાર સુધીમાં જિલ્લાના 50થી વધુ ગામોમાં વિવિધ કેમ્પ યોજીને લોહીની ઉણપ (એનિમિયા) અને આંખની તકલીફ વાળા હજારો દર્દીઓને નવું જીવન આપવાનું ભગીરથ કાર્ય કરાયું છે.

આ જ શ્રૃંખલા અંતર્ગત વઢવાણના નવા દરવાજા વિસ્તારમાં આવેલા ઐતિહાસિક સંત રોહીદાસ મંદિરના પટાંગણમાં એક વિશાળ મફત મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વઢવાણ અને આજુબાજુના વિસ્તારના 500 થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો.

રોટરી ક્લબના પ્રમુખ હિરેનભાઈ શાહ, સેક્રેટરી હિતેશભાઈ દફ્તરી, તેમજ સ્થાનિક અગ્રણીઓ મોહનભાઈ પટેલ, તૃપ્તિબેન આચાર્ય અને નટુભાઈ પરમાર સહિતના આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કેમ્પમાં આંખની તપાસના વિભાગમાં 200 થી વધુ દર્દીઓના નંબર ચેક કરી તેમને વિનામૂલ્યે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત મોતીબિંદુ (મોતિયા) ધરાવતા વૃદ્ધોની યાદી તૈયાર કરવામાં આવી હતી, જેમના ઓપરેશન આગામી દિવસોમાં મફત કરી આપવામાં આવશે. શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલના તબીબો દ્વારા ખાસ કરીને મહિલાઓમાં જોવા મળતા એનિમિયા (પાંડુરોગ) ની તપાસ કરી જરૂરી દવાઓ આપવામાં આવી હતી.

આ ઉમદા કાર્યમાં સ્થાનિક 50 થી વધુ યુવાનોએ ઉત્સાહભેર રક્તદાન પણ કર્યું હતું જેથી કટોકટીના સમયે કોઈ દર્દીનો કીમતી જીવ બચાવી શકાય.

surendranagarupdate1@gmail.com

Recent Posts

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…

5 days ago

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

​ ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી ​ સરકારી શાળામાં…

6 days ago

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…

6 days ago

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…

1 week ago

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…

1 week ago

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…

1 week ago