Surendranagar Tazia Guidelines | સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તાજીયાના પર્વને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસ વિભાગ સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયો છે. સમગ્ર જિલ્લામાં કુલ 66 જેટલા સ્થળો પર તાજીયાનું આયોજન કરવામાં આવ્યું છે, જેને પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ વડા દ્વારા આયોજકો અને મુસ્લિમ અગ્રણીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠકમાં પોલીસ દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં પર્વની ઉજવણી કરવા માટે કડક ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. પોલીસની કડક સૂચના બાદ સુરેન્દ્રનગરમાં ઇતિહાસમાં પ્રથમ વખત તાજીયાના સરઘસમાં ડી.જે. (D.J.) નો ઉપયોગ ન કરવા અંગે આયોજકોએ લેખિત ખાતરી આપી છે.
જિલ્લા પોલીસ વડા અને ડીવાયએસપી (DySP) પાર્થ પરમારે સ્પષ્ટ આદેશ આપ્યા છે કે, તાજીયા એ માતમનું પર્વ હોવાથી માત્ર ધાર્મિક પરંપરા મુજબ જ ઉજવણી કરી શકાશે.
સરઘસ કે મહોલ્લામાં વગાડવામાં આવતા ઓડિયો અને સ્ટેજ પરથી કરાતા પ્રવચનોમાં કોઈ પણ પ્રકારની ઉશ્કેરણીજનક કે ધાર્મિક લાગણી દુભાય તેવી પ્રવૃત્તિ ચલાવી લેવામાં આવશે નહીં.
આ ઉપરાંત, દર વર્ષની જેમ આ વખતે તલવાર, ધોકા, છરી કે અન્ય કોઈપણ પ્રકારના હથિયારો (વેપન્સ) ના પ્રદર્શન પર પૂર્ણ પ્રતિબંધ મુકાયો છે. જો કોઈ વ્યક્તિ જાહેરમાં હથિયાર સાથે પકડાશે અથવા ગેરકાયદે પ્રવૃત્તિ કરશે, તો તેની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરાશે અને તેની સંપૂર્ણ જવાબદારી જે-તે વિસ્તારના આયોજકોની રહેશે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…