સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ રેલવે સ્ટેશન પર મુસાફરોને પાયાની સુવિધાઓ માટે ભારે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. હાલમાં આ સ્ટેશન ગંદકીનું હબ બની ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
રેલવે સ્ટેશન પર આવેલા શૌચાલયની કુંડીઓ લાંબા સમયથી સાફ ન કરવામાં આવતા તે છલકાઈ રહી છે, જેના કારણે પ્લેટફોર્મ પર અસહ્ય દુર્ગંધ ફેલાઈ છે. આ ગંદકીને લીધે મુસાફરોને ટ્રેનની રાહ જોવી પણ મુશ્કેલ બની ગઈ છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે રેલવે તંત્ર દ્વારા સફાઈ બાબતે ઘોર બેદરકારી દાખવવામાં આવી રહી છે.
ગંદકીની સાથે પીવાના પાણીની વ્યવસ્થા પણ રામ ભરોસે જોવા મળી રહી છે. સ્ટેશન પર પાણીના નળ તો મૂકવામાં આવ્યા છે, પરંતુ પાણી પીવા માટે એક પણ ગ્લાસની વ્યવસ્થા નથી. જે મુસાફરો પાસે પોતાની પાણીની બોટલ નથી, તેમને પાણી હોવા છતાં તરસ્યા રહેવું પડે છે અથવા તો અંજલિ ભરીને પાણી પીવા મજબૂર થવું પડે છે. મુસાફરોની સુવિધાના નામે રેલવે તંત્ર દ્વારા લાખોનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે.
આ ગંભીર બેદરકારી સામે આવતા મુસાફરો અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો માંગ કરી રહ્યા છે કે રેલવેના ઉચ્ચ અધિકારીઓ આ મામલે તાત્કાલિક દખલગીરી કરે અને સ્ટેશનની ગંદકી દૂર કરી પીવાના પાણીની યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવે. બીજી તરફ, રેલવે વિભાગના સ્થાનિક અધિકારીએ આ બાબતની નોંધ લેતા જણાવ્યું છે કે, ટૂંક સમયમાં સફાઈ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. હવે જોવાનું એ રહેશે કે આ ખાતરી બાદ મુસાફરોને ક્યારે રાહત મળે છે.
ધ્રાંગધ્રા શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે સિટી પોલીસ એક્શન મોડમાં આવી છે. ધ્રાંગધ્રા સીટી…
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-ચોટીલા હાઈવે પર આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. સાયલા તાલુકાના વખતપર ગામના…
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાનો રણકાંઠા વિસ્તાર ભૌગોલિક પરિસ્થિતિને કારણે શિક્ષણ ક્ષેત્રે આજે પણ પડકારોનો સામનો…
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં…
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ધ્રાંગધ્રા…
સુરેન્દ્રનગર જનરલ હોસ્પિટલ ખાતે અત્યાધુનિક મોનિટરિંગ અને વેન્ટિલેશન સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. ગુજરાત સરકારના…